SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ દ્રૌપદીસ્વયંવર નિયમ એ છે કે અહીં નાયક અને પ્રતિનાયકના સંધર્ષને પરાકાષ્ઠાએ પહોંચાડી કોઈપણ બહાને એમની વચ્ચેના યુદ્ધને ટાળી દેવામાં આવે છે. ભરતમુનિ નોંધે છે કે – यत्र तु वधेप्सितानां वधो हृदये भवेद्धि पुरुषाणाम् किञ्चिद्व्याजं कृस्वा तेषां युद्धं शमयितव्यम् ॥ -નાટથરાત્રિ, ચ, ૧૮૮૨ દશરૂપકકાર કહે છે सरम्भं परमानीय युद्धं व्याजान्निवारयेत् । वधप्राप्तस्य कुर्वीत वध नैव महात्मनः ॥ -રાપ, રૂ.૭૫ નાથદર્પણકાર પણ કહે છે” ધ્યાનેકાત્ર રામાવો વઘાને શરીરિણી | નાટચન ૨. ૨૭) ઈહામૃગમાં સંધિ અંગે દશરૂપકાર કહે છે ત્રિષિા (રૂ.૭૫) એટલે કે ઈહામૃગમાં ત્રણ જ સંધિ હેવી જોઈએ. નાટયદર્પણકાર સ્પષ્ટ કહે છે તે પ્રમાણે “કન્વયે અવસર્જિતાત્રાઃ અર્થાત ગર્ભ અવમર્શ વિનાની ત્રણ એટલે કે એમાં મુખ, પ્રતિમુખ અને નિર્વહણ સંધિઓ હેવી જોઈએ. કથાવસ્તુ પછી નાયકને લગતા નીચેના માર્ગદર્શક સિદ્ધાંત નાટયશાસ્ત્રીઓએ દર્શાવ્યા છે. ભરતમુનિ કહે છે, _ 'दिव्यपुरुषाश्रयकृतो दिव्यस्त्रीकारणोपगतयुद्धः' અભિનવગુપ્ત સ્પષ્ટ કહે છે તેમ ઈહામૃગને નાયક દિવ્યપુરુષ હવે જોઈએ અને એમાં જે યુદ્ધ થાય તે પણ દિવ્ય સ્ત્રીને કારણે થવું જોઈએ. દશરૂપકકાર કહે છે કે એમાં નાયક અને પ્રતિનાયક અનુક્રમે નર અને દિવ્ય હોવા જોઈએ. नरदिल्यावनियमान्नायकप्रतिनायकौ । ख्यातो धीरोद्धतावन्त्यो विपर्यासादयुक्तकृत् ॥ રાણપ, રે.છરે નાથદર્પણકાર પણ નોંધે છે કે કિશો દત્તનનવ અર્થાત ઈહામૃગને નાયક દિવ્ય હોવો જોઈએ અને એમાં તેજસ્વી પુરુષપાત્ર આવવાં જોઈએ.
SR No.005715
Book TitleDropadi Swayamvaram
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Shantiprasad M Pandya
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy