SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ખીજ અક ૧૫ ૧. દ્રૌપદીનું સ્વય’વરણ : બીજા અંકના પ્રારંભ સ્વયંવર સભામાં કૃષ્ણ અને દ્રુપદના આગમનથી થાય છે. સ્વયંવર સભામાં બધા રાજાએ પાતપાતાની જગાએ ગાઠવાઈ ગયા છે. દ્રુપદ પ્રતિહારને દ્રૌપદીને લઈ આવવા આદેશ આપે છે. ૌપદી સખી સાથે પ્રવેશે છે. બધા રાજાએની નજર એના ઉપર ચોંટી ગઈ હોવાથી પ્રશ્નલિત થયેલું એનું મન શરમના ભારથી સંક્રાચાય છે. સખી દ્રૌપદીને કેઈપણુ પ્રકારને। સકાચ ન રાખવાનું જણાવી ઇન્દુમતી વગેરે પ્રાચીન રાજકન્યાઓને સ્વયંવર થયા જ હતા; આ ફોઈ નવી વાત નથી એમ જણાવે છે. દ્રૌપદી પિતાજીને પ્રણામ કરે છે. દ્રુપદ દ્રૌપદીને ઇચ્છાવર પસંદ કરવાના આદેશ આપે છે. સખીના હાથનું આલંબન લઈને હાથમાં માળા ધારણ કરેલી દ્રૌપદી સભામાં ફરે છે. દ્રૌપદીને આવતી જોઈને દુર્ગંધન ઉન્માદ અનુભવે છે. એને મન દ્રૌપદી કામદેવનું બ્રહ્માસ્ત્ર અને વિધાતાના સર્જનકળશ જણાય છે. સખી દ્રૌપદીને દુર્ગંધનના પરિચય આપે છે પણ દ્રૌપદી એને માટે અવજ્ઞાસૂચક ઉદ્ગારા કાઢીને આગળ વધે છે. એ પછી દ્રૌપદીની વૈદભી નામની સખી દાનેશ્વરી ચ'પાધિરાજ કણુ તરફ દ્રૌપદીનું ધ્યાન ખેચે છે પણ દ્રૌપદી લેાકટીકાને પાત્ર થયેલા જન્મવાળા કણ તરફ પણ પોતાની નાપસંદગી વ્યક્ત કરે છે. એ માગધી નામની સખી યુવરાજ દુઃશાસનને આળખાવે છે પણ દ્રૌપદી વૈભવ તેમજ યૌવનમથી છકી ગયેલા દુ:શ્વાસનને છેાડી જવાનું પસંદ કરે છે. સભામાં દ્રોણની બેઠક પાસે આવતાં એમને પ્રણામ દ્વારા પૂજ્યભાવ પ્રગટ કરી એમને માટેનુ એનુ હગત પ્રગટ કરી દે છે. શકુનિનું નામ સાંભળતાં જ તે અકળાઈ ઊઠે છે અને પોતાના અગમા વ્યક્ત કરે છે. શિશુપાલના પરિચય કરાવવામાં આવતાં એને ધ'વિમુખ ગણી એને પણ ત્યાગ કરી દે છે. મામ એક પછી એક સ રાજવીઓની અવહેલના કરતી દ્રૌપદ્દીને નજીક આવતી જોઈને અજુન પ્રસન્ન ચાય છે. માગધી બધા બ્રાહ્મણેા તરફ દ્રૌપદીનું ધ્યાન ખેંચે છે. દ્રૌપદીની નજર અજુ`ન ઉપર સ્થિર થાય છે. તે અર્જુન સાથે હસ્તમેળાપ કરવા અધીરી બને છે. અજુ ને માત્ર (મત્સ્ય)ને જ નહિ પણ પેાતાના મનને વીંધી નાખ્યું છે એમ કહી તે પેાતાના અભિલાષ પ્રગટ કરે છે. અજુ ન દ્રૌપદીના નેત્રકટાક્ષથી વીંધાય છે. દ્રૌપદી ફરી એક વાર અજુનના મનેાહર દેખાવને નિહાળતી ઊભી રહે છે. માગધી આગળ જવાના પ્રસ્તાવ મૂકી ીપદીની મજાક કરે છે. પણ
SR No.005715
Book TitleDropadi Swayamvaram
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Shantiprasad M Pandya
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy