________________
રાગ હતો તેથી નેવું હજાર જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, છત્રીસ હજાર જિનપ્રાસાદ નવાં બંધાવ્યાં, અનાર્યક્ષેત્રમાં પણ સાધુસાધ્વીનો વિહાર સુલભ બને તેવી વ્યવસ્થા કરી. દીક્ષા લેવાની આકંઠ ઇચ્છા છતાં દીક્ષા ન મળે – એ પુણ્ય કેવું કહેવાય ?
સ. રાજાપણામાં પણ દીક્ષા પ્રત્યે આવો રાગ હતો એટલે એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય ને ? એ પુણ્ય તો સારું ને ?
પુણ્યાનુબંધી પુણ્ય પણ સાધુપણું લેતાં અટકાવતું હોય તો સારું કઈ રીતે કહેવાય ? સુખના ઢગલામાં પણ આસક્તિ ન કરાવે, સંસારને વધારનારું ન બને એટલાપૂરતું એ પુણ્ય સારું. બાકી સંસારને કાપવામાં કામ ન લાગતું હોય તો એવા પુણ્યમાં શું રાચવાજેવું છે ? પુણ્યાનુબંધી પુણ્ય નિર્મળ આરાધનાથી બંધાય છે, છતાં એ પુણ્યયોગે મળતાં ભોગસુખો આરાધકને અગ્નિજેવાં અનિષ્ટ લાગે એમ શાસ્ત્રમાં હ્યું છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને ટાળ્યા વગર ચારિત્ર ઉદયમાં ન આવે. કપડાં ધોતી વખતે પાણીનો યોગ તો થાય પણ ભીનું કપડું પહેરવા કામ ન લાગે, એ કપડું સૂકવવું પડે. તેમ શુભ ભાવે ધર્મ કરતી વખતે પુણ્યાનુબંધી પુણ્યનો યોગ તો થાય, પરંતુ શુદ્ધ ચારિત્રધર્મની આરાધના કરવી હોય તો તે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને ટાળવો પડે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદ્દયથી મળેલાં સુખો છોડયા વગર ભગવાનનું સાધુપણું પામી ન શકાય. તીર્થંકરના આત્માઓને છેલ્લા ભવમાં જે દેવતાઈ ભોગો મળે છે તે પુણ્યાનુબંધી પુણ્યના યોગે જ મળે છે ને ? છતાં નિકાચિત પુણ્ય તેઓને પણ દીક્ષા લેતાં અટકાવે ને ?
ન
સ. નિકાચિત કર્મ ભોગવ્યા વિના ન જાય ?
નિકાચિત ન જાય પણ અનિકાચિત વગર ભોગવ્યે ટળી શકે. આથી જ જ્યારે ભગવાને જોયું કે કર્મ નિકાચિત નથી રહ્યું ત્યારે ભગવાન ભોગવવા નથી રહ્યા. ભોગસુખમાં તદ્દન વિરાગી એવા પણ ભગવાને જ્યારે એ ભોગસુખનો ત્યાગ કર્યો ત્યારે જ દીક્ષા મળી ને ? ભગવાન તો જાણતા હતા કે પોતાનું કર્મ નિકાચિત છે કે અનિકાચિત. માટે ભગવાન નિકાચિત કર્મને ભોગવીને પૂરું કરે એ બરાબર છે. આપણે જાણીએ છીએ કે આપણું કર્મ નિકાચિત છે કે અનિકાચિત ? નહિ ને ? તો એવા વખતે નિકાચિત માનીને ભોગવવા કરતાં તો અનિકાચિત માનીને દૂર કરવાનો પુરુષાર્થ કરવો, એમાં જ બુદ્ધિમત્તા છે ને ? આપણી અશાતા નિકાચિત છે કે અનિકાચિત – એની જાણ નથી છતાં ય તેને નિકાચિત માની ભોગવી લો કે અનિકાચિત
(૧૮)