SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ગતિ એવી નથી કે જ્યાં કર્મરહિત શુદ્ધ આત્મા રહી શકે, માત્ર મોક્ષ જ એક એવું સ્થાન છે. માટે મોક્ષ એ સદ્ગતિ-શુભ સ્થાન છે. જ્યાં આત્માની શુદ્ધ દશા હોય તેનું નામ સદ્ગતિ. સ. મનુષ્યગતિ અને દેવગતિ : એમ સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષે ગયા - એવું કહેવાય છે ને ? એ તો સદ્ગતિરૂપ મોક્ષમાં જવાની નિસરણી બને એટલાપૂરતી સદ્ગતિ કહી. ' ત્યાં રહેવા જેવું છે માટે સદ્ગતિ નથી કહી. નિસરણી એ રહેવાનું સ્થાન ગણાય કે ચઢવાનું સ્થાન ગણાય? મકાનમાં જવા માટે નિસરણી ગોતવી પડે પરંતુ નિસરણી મળી ગયા પછી ત્યાંથી ઉપર ચઢીએ તો મકાનમાં જવાય. ઉપર ન ચઢીએ તો નિસરણી ઉપર રહેવા ન મળે, ત્યાંથી પાછા નીચે ઊતરી જવું પડે. જે નિસરણી, ઉપર ચઢવા માટે રાખી હોય તે ય નીચે ઊતરવા પણ કામ લાગે ને ? તેમ જે મનુષ્યદેવ ગતિ મોક્ષમાં જવા કામ ન લાગે તે નરકાદિગતિનું કારણ બનતી હોવાથી દુર્ગતિ સ્વરૂપ છે. વ્યવહારથી શુભ સ્થાન તરીકે મનુષ્યગતિ અને દેવગતિને સદ્ગતિ તરીકે ભલે ગણી હોય, પરંતુ પરમાર્થથી તે પણ દુર્ગતિ છે – એ યાદ રાખવું. આથી જ દેરાસરમાં સાથિયો ચાર પાંખડાંનો કરવામાં આવે છે. જો બે ગતિ સદ્ગતિ હોય અને ટાળવાયોગ્ય ન હોય તો માત્ર બે જ પાંખડાંનો સાથિયો કરવાનું કહ્યું હોત. તમે ચઉગતિભ્રમણ નિવારવાની વાત કરો કે નરક-તિર્યંચરૂપ દુર્ગતિના ભ્રમણને જ નિવારવાની વાત કરો? શ્રી નમુત્યુસંસૂત્રમાં શ્રી તીર્થંકરભગવન્તને ધમ્મરચાઉરંતચક્રવટ્ટણ કહ્યા છે ને ? તેનો અર્થ શું? ચાર ગતિનો અંત કરનારા હોવાથી ધર્મના ચતુરંત ચક્રવર્તી તરીકે તેમને સ્તવ્યા છે. માટે નક્કી છે કે ચાર ગતિથી તારીને પાંચમી ગતિમાં જે લઈ જાય તેનું નામ ધર્મ. જે ચારગતિને નિવારવા મથે તે દેવગતિને સદ્ગતિ કઈ રીતે માની શકે ? અવિરતિને ભૂંડી માનીને સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર કે સર્વવિરતિધર બનેલાઓ પાછા અવિરતિને ઈચ્છે – એ બને ? - સ. સાધુપણું આરાધી દેવલોકમાં ગયા - એવું શાસ્ત્રમાં વર્ણન આવે છે ને? ' એતો જે બન્યું તે જણાવ્યું, ત્યાં જવા જેવું છે માટે નથી જણાવ્યું. દેવલોકમાં જવા જેવું છે - એવું કોઈ શાસ્ત્રમાં આવે છે ? ત્યાં ગયેલા અનુત્તરવાસી દેવો પણ પોતાના જન્મને વ્યર્થ ગણે છે, ને તમારે ત્યાં જવું છે? સવારે “શ્રી વિશાલલોચન સૂત્ર' માં બોલો ને કે – (૧૫)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy