SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સુખી થઈશ.” આ પ્રમાણે આ પાંચમી ગાથાનો અર્થ છે. આપણે પહેલાં જોઈ ગયા કે નિકાચિત કર્મોના ઉદય વગેરેના કારણે કોઈ વાર સાધુભગવન્તોનું મન સંયમમાંથી અસંયમમાં જાય છે. એમાં પણ સુખશાલિયાપણું મુખ્યપણે નિમિત્ત બનતું હોય છે. એ સુખશીલતાને દૂર કરવા માટે અનન્તજ્ઞાનીઓએ પરીષહોને નિરન્તર સહન કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમાં સૌથી પહેલાં આતાપના લેવાનું જણાવ્યું છે. એનાથી માંસ અને ચરબી સુકાય છે, શરીર કૃશ બને છે, જેથી શરીરમાં ઉદ્ભવતા વિકારો શાંત થાય છે. અહીં ગાથામાં આતાપના લેવાનું જણાવ્યું છે-એનો અર્થ એ નથી કે એક જ પરિષહ સહન કરવાનો. ગ્રહો તજ્ઞાતીયપ્રણમ્ આ ન્યાયે ઉષ્ણપરિષહની સાથે બીજા બધા જ પરિષહો સહન કરવાનું જણાવ્યું છે. પ્રયોગ ભલે વિશેષનો કર્યો હોય, તાત્પર્ય સામાન્યમાં છે. કોઈ એક પરિષહનો ઉલ્લેખ કર્યો હોવા છતાં દરેક પ્રકારના પરિષહ વેઠવાનું કહ્યું છે. ઠંડી, ભૂખ, તરસ વગેરે અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને જાણે શરીર પર અત્યાચાર ગુજારવો છે. મનને સ્થિર કરવા માટે અભ્યન્તર પ્રયોગોની સાથે બાહ્ય પ્રયોગો પણ કરવા પડે. જેમ ભૂત વળગે તો મંત્ર-જાપ વગેરે અભ્યન્તર પ્રયોગોની સાથે લીંબુમરચું-ધૂપ-દીપ વગેરે દ્વારા બાહ્ય પ્રયોગો પણ કરો ને? તેવી રીતે આ રાગનું ભૂત કાઢવા માટે બાહ્ય ઉપચાર પણ કરવાના. તમે છોકરાઓ માટે આવા બાહ્ય પ્રયોગ કરો ને? ચામડી ઉખડી જાય એ રીતે બાહ્ય પ્રયોગો કરો ને જાત માટે કશું નહિ? છોકરો ખોટું કરે તો પાપ લાગે કે બાપાને પણ લાગે ? એક દવા કામ ન લાગે તો બીજી, બીજી કામ ન લાગે તો ત્રીજી દવા લો ને? એ રીતે અહીં પણ એક પરીષહ રાગને જીતવા કામ ન લાગે તો બીજો, બીજો કામ ન લાગે તો ત્રીજો..... એમ અનેક પ્રકારના પરિષહ વેઠે તો છેવટે રાગ દૂર થયા વિના ન રહે. આ રીતે પરિષહો સહન કરવાથી સુખશીલિયાપણું દૂર થાય છે. દુઃખ સહન કરીએ તો કુદરતી રીતે જ સુખનું અર્થપણું જતું રહે છે, શરીર ખડતલ બને છે અને તેથી સુકુમારતાનો ત્યાગ થાય છે. સુખ જ માફક આવે અને દુઃખ તો સહેજ પણ ફાવે નહિ: આવી જાતના સ્વભાવને સુકુમારતા કહેવાય છે. સુકુમારતાના કારણે, આપણે કદાચ રાગ ન કરીએ તોપણ સામી વ્યક્તિ આપણી પ્રત્યે રાગ કરે. પરિણામે આપણને અનિષ્ટ થયા વિના રહેતું નથી. તેથી સુકુમારતાનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. આતાપના લેવાથી શરીરના માંસલોહી સુકાઈ જાય, લાવણ્ય-સૌંદર્ય-વર્ણ બધું જ ખલાસ થઈ જાય, બાંધો એકવડો થઈ જાય... તેના કારણે કાચોપોચો રાગ (સામાનો) હોય તો તરત ઓસરી જાય. બળદેવમુનિ પોતાના રૂપમાં સ્ત્રીઓ આસક્ત (૧૦૬)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy