SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સ. એ તો બાળબુદ્ધિ છે એટલે માની જાય. આપણી પણ બાળબુદ્ધિ જ છે ને? અનન્તજ્ઞાનીઓની અપેક્ષાએ આપણે મહાબાળ છીએ. તેમની આજ્ઞા મુજબ આપણને ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં, ચાલતાં, ઊંઘતાં, કે સ્પંડિલ-માગું કરતાં ય ક્યાં આવડે છે? ભગવાને ત્રીજા પ્રહરે વાપરવાનું, વિહાર કરવાનું અને સ્પંડિલ ભૂમિએ જવાનું કહ્યું છે – એના બદલે સવારે ઠંડા પહોરે બધું પતાવી દે અને બપોરે આરામ કરે ! બપોરના ત્રણ કલાકમાં વહોરવા, વાપરવા અને સ્પંડિલભૂમિ જવાનું કામ કરે તો ઊંઘ તો ક્યાંય ઊડી જાય. સ. સાધુભગવન્તો બપોરે આરામ ન કરે ? . ' જે સાધના કરે તે સાધુ, આરામ કરે તે સાધુ નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે સંયમનૌકાથી ભવસરિતાને તરવા પ્રયત્ન કરે તે યતિ. આરામ તો માત્ર તેમના દેહમાં જ હોય. બીજા કોઈ યોગમાં આરામ ન હોય. રાત્રિના બે પ્રહર સિવાય સાધુભગવન્ત. ઊંઘે નહિ. કોઈ વાર ગંભીર માંદગી આદિના કારણે અપવાદપદે આરામ કરે તો પણ તેમની સંયમની સાધના ચાલુ હોય. વિહાર કલાક-એ-કલાક કરે બાકી મકાનમાં રહ્યા હોય છતાં વિહારમાં છે એમ કહેવાય ને? તેમ ભગવાનની આજ્ઞા મુજબ દિવસે કે રાત્રે નિદ્રા લેનારા સાધુભગવન્તની સાધના ચાલુ જ છે – એમ કહેવાય. ભગવાનની આજ્ઞા મુજબ જો ન સૂએ તો જ્યારે જાગતા હોય ત્યારે ય સાધુભગવન્ત સૂતેલા છે. એમ કહેવું પડે. આજે તો છ કલાકની નિદ્રા થઈ ગઈ હોય તો પણ કેટલા વાગ્યા છે- એ જોઇને પાછા શાંતિથી પોઢી જાય. કેટલા વાગ્યા છે – એ જોવાને બદલે કેટલું અંતર બાકી છે - તે જોઈએ તો ઊંઘ ઊડી જાય ને ? કેટલું છે એ જોવાનું કે કેટલું બાકી છે એ જોવાનું? તમે બુદ્ધિશાળી છો ને ?. સ. અક્કલ વગરના છીએ. તમે જાતે બોલ્યા એ સારું થયું. પણ સાથે એટલું ધ્યાન રાખો કે કોઇ તમને અક્કલ વગરના કહે તો ગુસ્સો ન કરતા. અનન્તજ્ઞાનીની અપેક્ષાએ અક્કલ નથી જ - એ યાદ કરાવ્યું, તે સારું થયું - એમ સમજીને તેના તિરસ્કારને ખમી લેવો. અત્યાર સુધી આપણી જાતને બુદ્ધિશાળી માનીને ચાલ્યા તેના કારણે જ ઠેકાણું પડ્યું નથી. હવે આપણી જાતને બાળ માનીને વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ જીવતાં શીખી લેવું છે. ભગવાન જે જે કહે, જે જે ઉપાયો બતાવે તેને આપણી અક્કલ ચલાવ્યા (૧૦૪)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy