SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણેય અર્થો ઘટી શકે. બાકીના પદાર્થો સ્પષ્ટ જ છે. त्वं तारको जिन ! कथं भविनां त एव । त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः । यद्वा दृतिस्तरति यज्जलमेष नून मन्तर्गतस्य मरुतः स किलानुभावः ॥१.०॥ अन्वय : जिन ! त्वं भविनां कथं तारकः ? यत् त एव उत्तरन्तः हृदयेन त्वां उद्वहन्ति, यद्वा यत् दृतिः नूनं जलम् तरति स एषः अन्तर्गतस्य मरुतः किल अनुभावः ॥१०॥ . પરિચય: વિન=ભવ્ય જીવ તિ=ચામડાની બનેલી મશક, જે વાયુ વડે ભરીને પછી એનાથી નદી તરી શકાય અનુમાવ=પ્રભાવ. અર્થ: હે જિન ! તું ભવ્ય જીવોનો તારક શી રીતે કહેવાય? કેમકે સમુદ્રને ઉતરતાં તેઓ જ હૃદય વડે તને ધારણ કરે છે, વહન કરે છે. અથવા તો ચામડાની મશક પાણીમાં તરે છે એ ખરેખર અંદર રહેલા પવનનો જ પ્રભાવ છે. સમાસઃ (8) : તિ: રૂતિ સતત:, તી | ભાવાર્થ આ કાવ્યના ઘણા શ્લોકોમાં કવિની આ શૈલિ જોવા મળશે કે શરૂઆતમાં તેઓ કોઈક આપત્તિ ઊભી કરશે અને પછીના પાદમાં એનો ઉત્તર પોતે જ આપશે અને પેલી આપત્તિ દૂર કરી દેશે. અહીં પણ આ જ શૈલિ છે. હોડીમાં માણસ બેસે છે અને એ હોડી સામે પાર પહોંચે છે તો ત્યાં હોડી એ માણસોની તારક કહેવાય. અર્થાત્ જે વસ્તુ બીજી વસ્તુને પોતાની અંદર સમાવી લઈ સામે પાર પહોંચાડે એ વસ્તુ બીજી વસ્તુની તારક કહેવાય. પ્રભુ ભવ્ય જીવોના તારક કહેવાય છે તો હકીકત એ હોવી જોઈએ કે પ્રભુ ભવ્ય જીવોને પોતાનામાં સમાવી લઈ, ઊંચકી લઈ સામે પાર ૧૦ કલ્યાણમંદિર સ્તોત્ર
SR No.005709
Book TitleKalyan Mandir
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages60
LanguageGujarat, Sanskrit
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy