SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક - આચારસંહિતા છીએ. આપણી ચેતનાનો આવિર્ભાવ કરાવનાર મન, વચન અને કાયાના યોગો સતત વિપરીત રહેતા હોય છે. આ બધામાંથી બહારથી અને અંદરથી પાછા ફરવાનું તે પ્રતિક્રમણ. દ્રવ્યથી અને ભાવથી પાછા વળવાનું પ્રતિક્રમણ. આપણે સતત અતિક્રમણ કરીએ છીએ માટે આપણે સતત પ્રતિક્રમણ કરતા રહેવાનું છે. પ્રતિક્રમણ વખતોવખત ન કરીએ તો અતિક્રમણના સંસ્કારો ગાઢ થઈ જાય છે અને પછી તેને તોડવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. જે માણસ ભૂલને આગળ વધવા દેતો નથી તેને પછીથી ઓછી તોડફોડ કરવી પડે છે. પ્રતિક્રમણ અતીતમાં કરેલા દોષોનું થઈ શકે. વર્તમાનમાં દોષોનું સંવર કરવાનું છે, તેમને રોકવાના છે. જ્યારે અનાગત-ભાવિમાં આવનારા દોષોને રોકવા પ્રત્યાખ્યાન કરવાનું છે. આ છે પ્રતિકમણનો મહિમા. અહીં એ વાત પણ પ્રસ્તુત કરી લેવી ઘટે છે કે પ્રતિક્રમણ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જટિલ જીવનવ્યવસ્થાને કારણે આપણે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તો એ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે આપણા મોટા ભાગના શારીરિક રોગોનું ઉદ્ભવસ્થાન આપણા મનમાં હોય છે. તેથી હવે મનોકાયિક ચિકિત્સા પદ્ધતિનો વિકાસ થયો છે. મનની ચિકિત્સા ર્યા વિના શરીરનો રોગ સંપૂર્ણ રીતે મટે નહીં અને મટે તો ફરીથી થયા વિના રહે નહીં. આજે સમાજ જે દૂષણોનો ભોગ બન્યો છે. તે બધાનું મૂળ રુણ મનમાં રહેલું છે. આજના યુગની મહાન સમસ્યા ટેન્શન-તાણ છે, જે અસ્વસ્થ મનને આભારી છે. કોઈ
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy