SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક આચારસંહિતા કે વિભાવમાંથી પાછા ફરો. ક્ષણે ક્ષણે જીવ વિભાવમાં સરકી જાય છે – વહી જાય છે તેથી સવારે જાગીને રાતની વિભાવ અવસ્થાનો વિચાર કરી પાછા ફરો. સાંજે વળી સમય કાઢો અને આખા દિવસની વિભાવ અવસ્થા વિશે વિચાર કરી પાછા હઠો. પખવાડિયે પાછો વિશિષ્ટ રીતે વિચાર કરો અને તે સમય દરમિયાન વિભાવોમાં જેટલા આગળ વધી ગયા હો એટલા પાછા ફરો. એ રીતે ચૌમાસી પ્રતિક્રમણ અને છેવટે સંવત્સરી પ્રતિક્રમણની વિચારણા થાય છે જેમ ખોટે માર્ગે ચઢી ગયેલ મુસાફર સાચો માર્ગ જાણતાં પાછો ફરે છે તેમ આપણે પાછા ફરવાનું છે. પણ આમ પાછા કયારે ફરાય? એક વખત એમ લાગવું તો જોઈએ કે હું ખોટે માર્ગે ચઢી ગયો હતો? સંવત્સરીનું પ્રતિક્રમણ મોટું આવે. કારણ કે એમાં સૌથી વધારે પીછેહઠ . કરવાની. ઝીણી ઝીણી વિગતો ધ્યાનમાં રાખી ભવ્ય પીછેહઠ કરવાની. પ્રતિક્રમણની પ્રક્રિયા સતત જાગૃતિની પ્રક્રિયા છે. રોજ વિચારો, પખવાડિયે વિચારો, ચાર મહિને અને વર્ષને અંતે વિચારો કે મારો આત્મા વિભાવોમાં કેટલો આગળ વધી ગયો છે અને પાછા ફરો. જ્યારે આત્મા ગુણસ્થાનકોમાં આગળ વધતો જાય છે ત્યારે તે આખા જીવન દરમિયાનની વિભાવ અવસ્થા તો શું ભવોભવની વિભાવ અવસ્થાનો વિચાર કરી પાછો ફરે છે - પ્રતિક્રમણ કરે છે. આત્માને કંઈ સ્પર્શતું નથી - એ તો જળકમળવત્ છે – એ જૈન ધર્મને માન્ય વાત નથી. આત્મા રગદોળાયેલો છે. કષાયોના કીચડથી જન્મજન્માંતરથી ખરડાયેલો છે. હંમેશાં ખોટે રસ્તે ચડી ગયેલો છે તેથી પાછા ફરો, કષાયોને ધોઈ નાખીને નિર્મળ થઈ ૭૮ GR
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy