SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક - આચારસંહિતા જોઈને જ જ્ઞાનીઓએ તેને યથાયોગ્ય રીતે આવશ્યક ગણું છે અને બહુ સમજી – વિચારીને તેને ચતુર્વિશતિસ્તવ પછી ક્રમમાં ગોઠવ્યું છે. પ્રતિક્રમણ : ચારિત્રનો પ્રાણ ક્રિયા છે અને ક્રિયાનો પ્રાણ પ્રતિક્રમણ છે. સામાયિક એ સાધ્ય છે અને પ્રતિક્રમણ એ સાધન છે. તેથી સામાયિકરૂપી સાધ્યને લક્ષમાં રાખવાપૂર્વક જ પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઈએ એવું શાસ્ત્રકારોનું વિધાન છે. આમ પ્રતિક્રમણ ભાવશુદ્ધિનું - અંતઃકરણની નિર્મળતાનું પરમ કારણ છે. તેથી દોષની શુદ્ધિને ઇચ્છતા સર્વ કોઈ જીવોને પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા રહે છે. પ્રતિક્રમણનો પ્રચલિત અર્થ છે કે પાછા ફરવું, શેમાંથી પાછા ફરવું? દોષોમાંથી પાછા ફરવાનું. જીવ હંમેશાં વિભાવમાં સરી પડે છે અને સ્વભાવમાં ભાગ્યે જ રહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, અવ્યાબાધ સુખ - એ આત્માનો સ્વભાવ છે. જીવે જે કંઈ કરવાનું છે તે વિભાવમાંથી પાછા ફરવા માટે કરવાનું છે. જે સ્વભાવ છે તે પ્રાપ્ત કરવા જીવે પ્રયાસ કરવાનો નથી. સ્વભાવને તો પ્રગટ થવા દેવાનો છે. સ્વભાવની આડે જે આવરણો આવી ગયાં છે તેને દૂર કરવાથી સ્વભાવ આપોઆપ પ્રગટે છે. વિભાવમાં સરી જવાની જીવની વૃત્તિ – સંસ્કાર જન્મોજન્મના છે. જીવ સતત અતિક્રમણ કરીને સ્વભાવમાંથી વિભાવમાં જાય છે. વિભાવમાંથી પાછા ફરવા પ્રતિક્રમણ કરવાનું છે. આ વાતમાં જૈન
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy