SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ છ આવશ્યક - આચારસંહિતા વિશિષ્ટ રીતે વપરાય છે. જૈન પરિપાટીનો તે ખૂબ મહત્ત્વનો શબ્દ છે. હા, અમુક સમય માટે કરવામાં આવતી એક પ્રક્રિયા કે અમુક સમય પછી આચરવામાં આવતી એક ક્રિયા એવા અર્થોમાં તેને ઘટાવી શકાય. પણ તેનાથી “સામાયિક’ શબ્દનો ખરો ખ્યાલ ન આવે, આમ જોઈએ તો “સામાયિક’ અને ‘સમતા” બંને ખૂબ નજીકનાં છે અને પરસ્પર જોડાયેલાં પણ છે. ઘણી વાર આ બંને શબ્દો એકબીજાને સ્થાને વાપરી શકાય તેવા લાગે છે. પણ બંને વચ્ચે ભેદ છે, જે ખૂબ મહત્ત્વનો છે. સામાયિકમાં સમતા હોય જ પણ સમતા હોય તો સામાયિક હોય જ એમ ન કહી શકાય. સમતા - સમભાવ ઇત્યાદિ સામાયિકનું પ્રથમ ચરણ છે. પણ સામાયિકનું અંતિમ ચરણ આત્મસ્વભાવમાં સ્થિતિ - એ તો તેનાથી કયાંય આગળ છે. સમતા મોટે ભાગે તો સંસારની ભૂમિકાની વાત છે કે જેમાં સાધકને કોઈ પણ પ્રસંગ કે પરિસ્થિતિ વિચલિત ન કરી શકે અને તે સમભાવમાં જ રહે. આમ જોઈએ તો આપણા જીવનની પ્રત્યેક પળ વિષમતાની જ હોય છે. કોઈ વિકટ પરિસ્થિતિ તો શું પણ કોઈ સામાન્ય વાત કે વસ્તુ પણ આપણને અસ્વસ્થ કરી મૂકે છે – સુબ્ધ કરી નાખે છે. આપણું મોટા ભાગનું જીવન આવી ક્ષુબ્ધતા કે અસ્વસ્થતાની પ્રતિક્રિયા રૂપે જ હોય છે. આપણે સામાન્ય રીતે પૂરા સજાગ નથી હોતા તેથી આપણે આપણા આવા વ્યવહારની નોંધ નથી લેતા પણ જરા સ્થિર થઈને શાંતિથી વિચારીશું તો અવશ્ય લાગશે કે આપણું સમગ્ર જીવન વસ્તુઓ, વ્યક્તિઓ કે સંજોગોની પ્રતિક્રિયાથી કંઈ વિશેષ નથી હોતું. સામાયિકમાં પ્રવેશ કરવા માટેની
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy