SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચાર મીમાંસા પણ તપાચારમાં એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે જૈનાચાર, તપાચાર પૂરતો મર્યાદિત ન થઈ જાય. તપ મહત્ત્વનું છે પણ એકલા તપથી ધ્યેયની સિદ્ધિ ન થાય. તપ કરતાં પહેલાં એ બાબતે સ્પષ્ટ થઈ જવું જોઈએ કે તપ શેના માટે કરવાનું છે? તપનો હેતુ શું છે? હેતુની સ્પષ્ટતા વિના કરાતા તપનું ઝાઝું મૂલ્ય નથી. તપમાં કાયાને કષ્ટ પડે તેથી થોડી નિર્જરા અવશ્ય થાય પણ તેની પાછળ તપનો પૂર્ણ ભાવ ન હોય તો તે ફક્ત કાયકલેશ નીવડે. જેનું અલ્પ મૂલ્ય છે. તપ વિશુદ્ધિ માટે છે. તપ કર્મોની નિર્જરા માટે છે. ભાવ વિના તપમાં બળ ન આવે. જે તપ કરતાં કરતાં નવા આવતાં કર્મોનો પ્રવાહ રોકાય નહીં કે કર્મ પાતળાં ન પડે તો તે તપનો પૂર્ણ લાભ નથી મળતો. આ વાત ધ્યાનમાં રાખી તપસ્વીઓને તપ કરવાનું છે. આ છે તપાચારનું હાર્ટ - મૂળ વાત. આટલી વાત સમજયા પછી તપાચારના પાલન માટે જૈન ધર્મમાં જે વ્યવસ્થા છે તેના ઉપર વિચાર કરીએ. સમજણની સરળતા માટે જૈન ધર્મમાં તપનું બાર પ્રકારે વિભાગીકરણ કરવામાં આવ્યું છે. મૂળ વાત તો તપની જ છે. પણ તે કઈ રીતે સધાય અને તપ દરમિયાન શું ખ્યાલ રાખવાનો છે એ વાત વિગતવાર સમજાવવા તપના બાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. એમાં પ્રથમ છ પ્રકારના તપને બાહ્ય તપ કહે છે અને બીજાં છ પ્રકારના તપને અત્યંતર-અંદરનાં તપ કહે છે. બાહ્ય તપમાં ઉપવાસ, ઊણોદરી, વૃત્તિ સંક્ષેપ રસત્યાગ, કાયકલેશ (કાયાને કષ્ટ) અને પ્રતિસંલીનતા એમ છ પ્રકાર ગણાવ્યા છે. ઉપવાસ અને ઊણોદરી એટલે મિતાહાર. આ બંને તપની અસર આપણા
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy