SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ ૧૫ જ્ઞાનીના જ્ઞાન કરતાં વધારે મૂલ્યવાન છે. જૈન ધર્મમાં ચારિત્ર ગ્રહણ કરવાનું ઘણું મૂલ્ય અંકાય છે. મોહને પરાજિત કરવા માટેના શરસંધાન જેવું ચારિત્ર ગણાય છે. ચારિત્ર લીધા પછી મોહ સાથેનું ખરું યુદ્ધ શરૂ થાય છે. દર્શન અને જ્ઞાન દ્વારા મોહરૂપી શત્રુની ઓળખ થાય, તેની શકિતઓનો અંદાજ કઢાય પણ તેનો પરાજય તો ચારિત્ર દ્વારા જ થાય. જૈન પરિભાષામાં ચારિત્ર લેવું એટલે દીક્ષા લેવી - સાધુ થવું જૈન દીક્ષા એટલે પાંચ મહાવ્રતધારી સાધુ થવાની દીક્ષા અને એ વ્રતોના પાલન માટે ખૂબ જયણાપૂર્વક સૂક્ષ્મ વિગતોનું ધ્યાન રાખી જીવવાનો બધો વ્યવહાર રાખવાનો. પણ જે લોકો સાધુ ન થઈ શકે તેમ હોય, દીક્ષા ન લે તેમને માટે પણ ચારિત્ર મહત્ત્વનું તો ખરું જ. જૈન ધર્મક્રિયાઓનું આયોજન જ એવી રીતે થયેલું છે કે સંપૂર્ણ ચારિત્ર ન લેનારે પણ અંશતઃ ચારિત્રનું પાલન તો કરવું જ પડે. શ્રાવકના સઘળા આચારવિચારમાં પણ ચારિત્ર તો અંતર્ગત રહેલું જ હોય. સાધુ અને શ્રાવકના ચારિત્રાચારમાં જે ફેર છે, તે છે વિસ્તારનો અને પ્રમાણનો. તાત્વિક રીતે ચારિત્રનો વિચાર કરીએ તો તેનો અર્થ છે કે જીવ માટે જે વ્યર્થ છે તેને રોકો, હજારો અને લાખો જન્મોથી જીવે છે કંઈ વ્યર્થ ભેગું કર્યું છે તેને ખંખેરી નાખો - ઓછું કરતા જાવ. કર્મ જીવ માટે વ્યર્થ છે તેને આવતાં રોકો. તેનો સંવર કરો. ભવોભવમાં જીવે જે કર્મો ભેગાં કર્યા છે અને જેનાથી આત્માનું ઐશ્વર્ય દબાય છે તેને કાઢો-નિર્જરો. જે વાત આત્મા માટે હિતકારી નથી તેનાથી અળગા થઈ જાવ. સંપૂર્ણ રીતે વ્યર્થથી દૂર ન રહી શકાય તેમ હોય
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy