SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ - વૈજ્ઞાનિક અભિગમ ૧૪૫ સ્વરૂપનું ભાન : અધ્યાત્મની ચરમ સીમા છેવટે સ્વરૂપનું ભાન થતાં અને એમાં તલ્લીન થતાં આવી જાય છે. જ્યાં સુધી સ્વ અને પર, એ બંને અલગ છે. તે ભાન ન થાય, એની પ્રતીતિ ન થાય ત્યાં સુધી સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી દુર્લભ છે. સ્વ અને પરનો ભેદ સાધવા માટે કાયોત્સર્ગ જેવી કોઈ સાધના નથી. જેમ જેમ કાયોત્સર્ગ ઘટિત થતો જાય છે તેમ તેમ સ્વરૂપનું ભાન વધતું જાય અને છેવટે એક એવી ક્ષણ આવી જાય ત્યારે લાગ્યા વિના રહે નહીં કે દેહના પીંજરામાં જકડાયેલો હું અલગ છું - જુદો છું. દેહના બંધનથી હું સીમિત થઈ ગયો છું. બાકી હું તો અસીમ છે. હું સાગર છું; બિંદુ નથી. આનંદ મારું સ્વરૂપ છે. સંકલેશ મારો વિભાવ છે. આ વિભાવ અવસ્થાને લીધે જ કેટલાય જન્મો સુધી હું દીન બનીને ભટકયો છું. દેહ સાથે તાદાત્મ સાધીને બેઠેલા સંબંધો મારા નથી. દેહાધ્યાસને લીધે મેં જેને સુખ-દુઃખ માન્યાં છે એ મારાં નથી તે મિથ્યા છે. હું આત્મા જ સત્ય છું. અનંત શકિતનો સ્વામી હું જ છું. અવ્યાબાધ સુખનો અધિપતિ હું પોતે જ છું. આ શકિતનો આવિર્ભાવ કરવા માટે કાયાનો ઉત્સર્ગ કરવા જેવું કોઈ તપ નથી. તેથી તો જૈનદર્શનમાં તપના જે બાર પ્રકારો ગણાવ્યા છે. એમાં કાયોત્સર્ગને સૌથી મહાન ગણવામાં આવે છે. વાસ્તવિક્તામાં બાકીનાં બધાં તપ કાયોત્સર્ગ સાધવામાં સહાયરૂપ નીવડે છે. - કાયોત્સર્ગ આત્મજ્ઞાનની અનુભૂતિનો પથ છે. આત્મજ્ઞાન ધ્યાનસાધ્ય છે. નિજના સહજશુદ્ધ સ્વરૂપનું અનુસંધાન કરવા
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy