SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ વૈજ્ઞાનિક અભિગમ તો એક પ્રકારના નશાનું પણ સેવન કરતા થઈ જાય છે. ટેન્શનને ઉત્પન્ન થવા માટેનાં કારણો આપણી અંદર પણ હોય છે અને બહાર પણ હોય છે. ટેન્શનનો પ્રતિકાર કરનાર એક સ્વતંત્ર વ્યવસ્થાતંત્ર આપણા શરીરમાં હંમેશાં કાર્યરત હોય છે. પણ લાંબે ગાળે તેની પ્રતિકારક શક્તિ ક્ષીણ થતી જાય છે અને તંત્ર ખોટકાવા માંડે છે. પછી તનાવ આપણા શરીરમાં ઘર ઘાલી જાય છે અને અનેક રૂપે તો તેનો પરચો દેખાડે છે. - ૧૩૯ હર્ષ-શોક, આનંદ-નિરાશા, ભય-સાહસ, ઈર્ષા, પ્રતિસ્પર્ધા, ધૃણા, લાલસા, વાસના આ બધા આપણા મૌલિક આવેગો છે અને તે કોઈ નિમિત્ત મળતાં ઉદયમાં આવે છે કે કદિક વિના નિમિત્તે પણ આપોઆપ ઉદયમાં આવે છે. આ આવેગો સક્રિય થતાં હાયપોથેલ્મસ પ્રભાવિત થાય છે. તેનાથી પિચ્યુટરી ગ્લેન્ડ, એડ્રિનલ ગ્લેન્ડ ઇત્યાદિ ગ્રંથિઓ તેમજ સ્વાયત્ત નાડી સંસ્થાન પરિસ્થિતિને સંભાળી લેવા કાર્યરત થઈ જાય છે. આમ આપણને ખબર પણ ન પડે એ રીતે શરીરમાં હલચલ મચી જાય છે પરિણામે શ્વાસ અનિયમિત થઈ જાય છે, ઘણી વાર હાંફ ચડે છે, લોહીના દબાણમાં ફેરફારો થાય છે, બ્લડ પ્રેશરમાં વધઘટ થવા લાગે છે. આ ફેરફારોની અસર સમગ્ર પાચન તંત્ર ઉપર પડે છે. યકૃત અને પેન્ક્રિયાસના કાર્યમાં વિક્ષેપ પડે છે. હૃદયના ધબકારા વધી જાય છે. પ્રાસંગિક રીતે ઉત્પન્ન થતી તાણને જીરવવા માટે આપણું શરીર સક્ષમ છે. પણ સતત રહેતી તાણને લીધે સહજ રીતે સ્વયંસંચાલિત થતું આપણું આંતિરક તંત્ર ખોટકાવા લાગે છે અને
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy