SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જૈન આચાર મીમાંસા છે. ભલે તે બહારથી શબાસન જેવી જ લાગે પણ પાયાનો ભેદ એ છે કે એમાં ચૈતન્ય જાગૃત રાખવાનું છે. જો ચૈતન્ય જાગતું હોય તો જ મન અવચેતન મન, અચેતન મન અને તેની પારના સૂક્ષ્મતમ કર્મદ સુધી પહોંચી શકાય અને ત્યાં પડેલા ગાઢ સંસ્કારોને ઓળખી શકાય અને તેમાં પરિવર્તન પણ કરી શકાય. જે ત્યાં સુધી પહોંચીએ તો જ જીવ સાથે જોડાયેલાં કર્મોને તોડી શકાય અને તેની અસરોમાંથી મુક્ત પણ થઈ શકાય. કાયોત્સર્ગ જેવી અપૂર્વ ક્રિયા કરીને તેમાંથી શબાસન જેટલા લાભ લેવા એ તો લંકામાં ગયા પણ સોના વિના પાછા ફરવા જેવી વાત થાય. કાયોત્સર્ગનાં વિધિ-વિધાન : કાયોત્સર્ગના અધ્યાત્મ અંગે વધુ વિચાર કરીએ તે પહેલાં સૌપ્રથમ આપણે તેનાં વિધિવિધાન વિશે થોડું સમજી લઈએ જેથી આગળ આવતું ચિંતન વધુ સ્પષ્ટ રહે. જેનો સામાન્ય રીતે કાયોત્સર્ગ ઊભા રહીને કરે છે. એમાં બંને પગના પંજાઓ વચ્ચે થોડુંક અંતર રાખી બંને હાથને લંબાવી સાથળની સમકક્ષ રાખવામાં આવે છે અને પછી સ્થિર ઊભા રહીને લોગસ્સ સૂત્રનું કે નવકાર મંત્રનું અમુક વખત માટે રટણ કરવામાં આવે છે. જુદી જુદી વખતે કરવામાં આવતા કાઉસ્સગ્ન વખતે કેટલા લોગસ્સ કે નવકાર ગણવા એનું પ્રમાણ નક્કી થયેલું હોય છે. લોગસ્સ સૂત્રને અમુક શ્વાસ પ્રમાણ ગણવામાં આવે છે. એનાથી એ વાતનું નિર્દેશન થાય છે કે કાઉસ્સગ્નને શ્વાસ સાથે કંઈ મહત્ત્વનો સંબંધ તો છે જ. જૈનો ખાસ કરીને પ્રતિક્રમણ ચૈત્યવંદન કે એવી
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy