SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જૈન આચાર મીમાંસા જ્ઞાનની અને કેવળ આનંદની સહજ અવસ્થા છે. આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જીવ કૃતકૃત્ય થઈ જાય છે. ત્યાર પછી તેને કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. • આવા પરમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે જૈન દર્શને જે માર્ગ ચીંધ્યો તેમાં તપસાધના ખૂબ મહત્ત્વની છે અને તેના શિરમોર જેવો કાઉસ્સગ્ન એટલે કાયોત્સર્ગ છે. જૈન તત્ત્વધારાને પ્રવર્તમાન કરાવનાર ગીતાર્થ-જ્ઞાની મુનિઓએ કાઉસ્સગ્નનું મહત્વ જાણીને જૈનોની ધર્મક્રિયાઓમાં કાઉસ્સગ્નને એવો તો વણી લીધો છે કે તેમને વારે વારે કાઉસ્સગ્ગ તો કરવો જ પડે. જૈન સાધુઓ માટે તો ડગલે ને પગલે કાઉસ્સગ્ન કરવાનું વિધિવિધાન છે. દિવસમાં તેમને તો કેટલીય વાર કાઉસ્સગ્ન કરવો પડે. જૈન દર્શનમાં જે છ આવશ્યક ક્રિયાઓ ગણવામાં આવી છે તેમાં કાઉસ્સગ્નને સ્વતંત્ર રીતે સામેલ કર્યો છે એટલું જ નહિ પણ બીજી પ્રતિક્રમણ જેવી મહત્ત્વની આવશ્યક ક્રિયાઓમાં પણ કાઉસ્સગ્ગ તો આવ્યા જ કરે. ભગવાન મહાવીર કે અન્ય તીર્થકરોના જીવનની વાત હોય તો તેમાં કાઉગ્નની વાત હોય જ. ભગવાન મહાવીર તેમની તપસાધનામાં કાઉસ્સગ્ગ ધ્યાને વધારે રહેતા હતા તેથી આજે પણ તેમની ઘણી પ્રતિમાઓ કાઉસ્સગ્ગ ધ્યાનની મુદ્રામાં મળી આવે છે. જ્યારે તેમના સાધના કાળમાં તેમને ઘોર ઉપસર્ગો (આફતો - ઉપદ્રવો) નડ્યા ત્યારે પણ તેઓ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભેલા – એવાં ઘણાં વર્ણનો મળી આવે છે. મેરુ પર્વત ઉપર અથડાઈને જેમ વાદળો વિખરાઈ જાય તેમ આવેલા ઉપસર્ગો કાઉસ્સગ્ગ ધ્યાને ઊભેલા ભગવાન ઉપર અથડાઈને
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy