SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ ૧૧૩ અબ્રહ્મચર્ય એટલે કામ અને કામ એટલે કામના. બ્રહ્મચર્ય એ પરમ સુખાવસ્થા છે તે સમજાવવા યોગ્ય શબ્દો ન મળતાં તત્વચિંતકોએ કહ્યું : કામ બ્રહ્મો સહોદર - એટલે કામ બ્રહ્મનો ભાઈ છે. આ કથન કામની તરફેણ કરવા માટે નથી પણ બ્રહ્મસુખનું વર્ણન કરવું મુશ્કેલ હોવાથી તેના સુખ તરફનો ઈશારો છે. આમ તો કામ અને બ્રહ્મચર્ય (અકામ) બંને સામસામા ધ્રુવો છે અને કામનું સુખ બ્રહ્મના સુખ પાસે કંઈ નથી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે બ્રહ્મનું સુખ વર્ણનાતીત છે. બ્રહ્મ એટલે અકામ અવસ્થાનો આનંદ જ પરમ આનંદ છે. આ પરમ આનંદ ક્યાં રહેલો છે અને કેવી રીતે રહેલો છે તે બહુ સમજવા જેવી વાત છે. આપણું શરીર એ ઊર્જનો મોટો પૂંજ છે. એમાંથી નિરંતર ઊર્જાનો સ્ત્રાવ થયા કરે છે. આપણે કંઈ પણ કામના કરીએ, પ્રવૃત્તિ કરીએ એટલે આપણી અમૂલ્ય ઊર્જ ખર્ચાવાની અને તેની પૂર્તિ કરવા માટે આપણે હવા-પાણી-ભોજન ઇત્યાદિ લઈએ છીએ. ક્ષણે ક્ષણે આપણે ઊર્જા ખચીએ છીએ અને જે આપણે નવી ઊર્જા પ્રાપ્ત ન કરીએ તો હીણ-ક્ષીણ થઈ મૃત્યુ પામીએ. દિવસ દરમિયાન આપણે મન-વચન અને કાયાના યોગ દ્વારા અનર્ગળ ઊર્જ વેડફી નાખીએ છીએ. એક કલ્પના કે કોઈ વિચાર પણ ઊર્જાને વાપર્યા વિના થઈ શકતો નથી. શબ્દ બોલતાની સાથે પણ ઊર્જ બહાર વહી જાય છે. આપણે ઊર્જ સાથે જન્મીએ છીએ તેથી જન્મતી વખતે આપણે તાજા - ભરેલા હોઈએ છીએ. મૃત્યુ વખતે આપણે ઊર્જાવિહીન થઈ ગયા હોઈએ છીએ તેથી જીર્ણશીર્ણ થઈને મરીએ
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy