SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈન આચાર મીમાંસા અવગણના કરવાની નથી. વ્રતના આચરણ વખતે લક્ષ્ય નેજર સમક્ષ હોય તો વ્રતપાલનમાં ઉત્સાહ રહે અને વ્રત જ્ઞાન સહિતની ક્રિયા બની જતાં તેનું પરિણામ સત્વરે મળે. અચૌર્ય : ચોરી ન કરવી એ વાત તો સૌ ધર્મોએ કહેલી છે. વળી ચોરી એ રાજકીય અપરાધ છે જે દંડપાત્ર બને છે. તેથી ચોરો પણ સાચવીને ચોરી કરે છે. કોઈની વસ્તુ તૈના પૂક્યા વગર, તેની સંમતિ વગર લઈ લઈએ તે ચોરી કહેવાય એ વાત તો બાળકને પણ નાનપણથી કહેવામાં આવે છે. આવી નિંદાપાત્ર ઠરેલી ચોરીનો નિષેધ થાય એ મોટે ભાગે સામાજિક બાબત છે. પણ જૈન ધર્મ અચૌર્યને વ્રતમાં – મહાવ્રતમાં સામેલ કરેલ છે તેની પાછળ ઘણી સૂક્ષ્મ બાબતો રહેલી છે. પારકી વસ્તુ માલિકની સંમતિ વગર લઈ લઈએ એ ચોરી કહેવાય એ વાતનો તો આપણે ત્યાં ઘણો વિસ્તાર થયેલો છે અને જે સૌ જાણે છે તેથી તેના વિભાગીકરણની અહીં ચર્ચા કરવી નથી. આપણે ચોરી અંગેની કેટલીક સૂક્ષ્મ બાબતો ઉપર વિચાર કરી અચૌર્યના હાર્દને સમજવું છે જેથી આપણામાં રહેલા ચોરીના સંસ્કારોને નિર્મૂળ કરવાનો માર્ગ મળે અને આપણે ઐહિક તેમજ આધ્યાત્મિક અનિષ્ટોથી બચી જઈએ. કોઈની વસ્તુ તેની રજા વિના લઈ લેવી તે તો સર્વમાન્ય ચોરી છે પણ અણહકનું લેવું એય ચોરી છે એ વાત આપણે એટલી નથી સ્વીકારી. નોકર-ચાકર, ઉપરી-અધિકારી, આડોશી-પાડોશી, મજદૂર-માલિક સૌ પોતપોતાના સ્તરે અણહકનું કામ કરાવી લે કે
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy