SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન આચાર મીમાંસા સત્યરમાણતા : આ વ્રતને હું પાયાનું વ્રત ગણું છું કારણ કે જીવનો વિકાસ અહીંથી શરૂ થાય છે. જીવની ઉન્નતિના કમનું આ પ્રથમ પગથિયું છે. જો પહેલું પગથિયું જ ન જડે તો પછી સીડી ચઢાય કેવી રીતે અને ઉપર કેવી રીતે જવાય? શબ્દાર્થ અને લોકાચારથી વિચાર કરીએ તો સત્વશાળી જીવો માટે આ વ્રત મુશ્કેલ નથી. દેખીતી રીતે તો એટલું જ લાગે કે એમાં ખાસ કંઈ કરવાની વાત નથી, જે વાત છે તે સત્ય બોલવાની કે જૂઠું નહિ બોલવાની. માણસ એમ પણ વિચારે કે એવો કોઈ પ્રસંગ આવી પડશે તો જૂઠું નહિ બોલું અથવા થોડુંક વેઠીને પણ સાચું બોલીશ. વળી માણસ શક્તિશાળી હોય કે ખમીરવાળો હોય તો અસત્ય ન બોલે અને તેને એવું કરવાની જરૂર પણ ન પડે. પણ આ વાત આટલેથી જ પતતી નથી. મૂળ વાત છે સત્યનું આચરણ કરવાની. વધારે સૂક્ષ્મ જો વિચારીએ તો વ્રતમાં સ્થિર થવાની. આપણે હંમેશાં અસત્યની ભૂમિ ઉપર પગ ટેકવીને ઊભા છીએ તેથી ભવોભવ રખડવા છતાંય આપણું ઠેકાણું પડતું નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાનની પરિક્રમા કરતાં ગણધર ભગવંતો તીર્થરને પૂછે : “ભગવદ્ કિ તત્ત?” ભગવાન તત્વ શું છે? ભગવાન ઉત્તરમાં કહે કે “ઉપને ઈ વા.” ઉત્પન્ન થાય છે તે તત્ત્વ છે. પરિક્રમાનું બીજું આવર્તન લેતાં ગણધર ભગવંત ફરીથી પૂછે : ભગવદ્ તત્ત?” ભગવાન, તત્ત્વ શું છે? ભગવાન પ્રત્યુત્તરમાં કહેઃ “વિગમે ઈ વા.” વિનાશ થવો - વિસર્જન થવું એ તત્ત્વ છે. વળી ત્રીજી પરિક્રમા કરતાં ગણધર ભગવંત્ તીર્થકર
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy