SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક - આચારસંહિતા ૯૩ રાજ્યના વારસ ઠરે. આવી મહાન-ભીષ્મ પ્રતિજ્ઞા કરવાને કારણે દેવવ્રત ત્યાર પછી ભીષ્મ તરીકે ઓળખાયા. આ જ કૌરવો અને પાંડવોના ભીષ્મ પિતામહ. આ વાતમાં પચ્ચખાણનું એક મોટું રહસ્ય રહેલું છે. પ્રતિજ્ઞાથી કંઈ નહીં કરીએ તે એક વાત છે પણ ભવિષ્યમાં એ વાતનો કોઈ સંભવ ન રહે તે માટે તેનો માર્ગ સદાને માટે બંધ કરી દેવા પ્રતિજ્ઞાબદ્ધ થવું એ બીજી વાત છે. જૈન ધર્મ પચ્ચકખાણને આવશ્યકમાં સ્થાન આપ્યું, કારણ કે તેની નજરમાં પેલી બીજી વાત પણ છે. જો નાળું હોય તો વરસાદનું પાણી તેના દ્વાર અંદર આવી જાય માટે ક્યાંય છિદ્ર, નાળું કે નીકને અવકાશ જ ન મળે તેવી વ્યવસ્થા રાખવી. જગતમાં અવ્રતનો - સ્વચ્છંદનો એટલો બધો મહિમા છે અને સમસ્ત સંસાર વિપરીત કષાયો અને યોગોથી એટલો બધો ભરાયેલો છે કે, જો સાધકના જીવનમાં એક નાનીશી નીક પણ ખુલ્લી રહી ગઈ હોય તો તેમાંથી ઇન્દ્રિયોના વિષયો અને કષાયો અંદર આવી જવાના અને બધી સાધના વિફલ કરી નાખવાના માટે પચ્ચકખાણ લઈને નીકને પૂરી નાખો. જીવનમાં એવું કોઈ છિદ્ર ન રાખો કે જેમાંથી વિષયો-કષાયો-અસંયમ ઈત્યાદિ પ્રવેશી શકે. દરેક ધર્મમાં સંયમની મહત્તા થોડે-વધારે અંશે છે. પણ સંયમની જાળવણી માટેની આટલી કાળજી, આટલી ચુસ્તતા જૈન ધર્મની આગવી છે. જૈન કર્મસિદ્ધાંત ત્યાં સુધી માને છે કે જેનાં પચ્ચખાણ ન લીધાં હોય તે બધાનો માર્ગ મોકળો જ રહે છે. જેથી વિષયોને સેવ્યા વિના પણ જે તે ક્ષેત્રના કે વિષયોમાં થતા
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy