SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમતપરીક્ષા ૯૩૪. ગાથા - ૧૭૯ લઇને સંયમના આસ્વાદનરૂપ ફળ માટે યતમાન મુનિ જ્યારે પાતને અભિમુખ હોય, =સંયમ સમ્યગ્ પાળવા અસમર્થ બને તો, તેનાથી દીર્ઘસંસારની પ્રાપ્તિરૂપ પોતાનો ભય દેખાતો હોય તો, સંયમવેષરૂપ વૃક્ષને છોડીને નીચે પડેલા ફલસ્થાનીય સુશ્રાવકપણું ગ્રહણ કરે તે શ્રેયઃરૂપ છે. टीsı :- यदा हि महायानपात्रसमानसंसारसागरतारणप्रवणं संयमं भग्नमवगच्छति तदा संसारभीरुः क्षुद्रतरण्डकल्पमपि श्रावकधर्ममङ्गीकुरुते, न तु निराधार एव वेषमात्रमुपजीवति, संसारपातप्रसङ्गात्, श्रावकत्वेऽपि अर्हच्चैत्यसुसाधुपूजादानधर्मादेर्निस्तारसम्भवात् । उक्तं च - 'अरहंतचेइयाणं सुसाहुपूआरओ दढायारो । सुस्सावओ वरतरं न साहुवेसेण चुयधम्मो ॥ त्ति ॥ [૩૫. માતા. ૧૦૨]ત્તિŞમાત્રોપત્નીવને તૂા વ ોષાઃ । ટીકાર્ય :- ‘થવા હિં' મહાયાનપાત્ર=મહાજહાજ, સમાન સંસારસાગર તારણમાં સમર્થ સંયમને મુનિ જ્યારે ભગ્ન જાણે છે, ત્યારે સંસારભીરુ એવો મુનિ ક્ષુદ્રકદંડક–તરાપા, જેવા પણ શ્રાવકધર્મને અંગીકાર કરે છે; પરંતુ નિરાધાર જ વેષમાત્ર પ૨ જીવતો નથી, કેમ કે સંસારપાતનો પ્રસંગ છે. શ્રાવકપણામાં પણ અર્હત્ ચૈત્ય તથા સુસાધુઓની પૂજા, દાનધર્માદિથી નિસ્તારનો સંભવ છે. ‘ૐ =’- અને કહ્યું છે‘અત્યંત’- અરિહંત ચૈત્યોની પૂજામાં રત તથા સુસાધુઓની પૂજામાં રત, દૃઢ આચારવાળો સુશ્રાવક વરતર–શ્રેષ્ઠતર છે, (પરંતુ) સાધુવેષથી ચ્યુતધર્મવાળો=ભ્રષ્ટ આચારવાળો, નહિ. * ‘ત્તિ’ - ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ‘નિમાત્ર’ વળી લિંગમાત્ર ઉપજીવનમાં ઉક્ત જ=કહેલા જ, દોષો છે. ભાવાર્થ ઃ- સંયમ ભગ્ન થાય ત્યારે સંસારભીરુ એવો મુનિ શ્રાવકધર્મ અંગીકાર કરે, એ નિયમ પ્રમાણે સંવિજ્ઞપાક્ષિકને પણ શ્રાવકધર્મ સ્વીકારવાની પ્રાપ્તિ થાય, અને શ્રાવકધર્મ ન સ્વીકારે તો સંસારમાં પાતનો પ્રસંગ પ્રાપ્ત થાય. આમ છતાં, લજ્જા આદિથી પોતે ગ્રહણ કરેલા વેષને છોડીને શ્રાવક થવા માટે તૈયારી ન હોય એવા સંવિજ્ઞપાક્ષિકો, પોતાની હીનતાનું કથન કરી અને સન્માર્ગનું ખ્યાપન કરી મિથ્યાત્વથી બચે છે; તેથી તેઓ પણ આરાધકની ત્રીજી ભૂમિકાને પામે છે. તેથી સુશ્રાવક કરતાં નીચેની ભૂમિકામાં હોવા છતાં સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરતા નથી. નિમાત્ર- લિંગમાત્રના ઉપજીવનમાં ઉક્ત જ= ગાથા-૧૭૮ની ટીકામાં‘વં =’થી કહેલ કે પ્રતિજ્ઞાભંગમાં ઉભયવિરતિનો ભ્રંશ, વળી અભિનિવેશમાં મિથ્યાત્વ, પરને શંકા પેદા કરવાથી મિથ્યાત્વની વૃદ્ધિ વગેરે ઉક્ત જ=કહેવાયેલા જ, દોષો છે. टी51 :- अथ व्रतभङ्गेऽपि तस्य धर्मान्तरसंभवात् कथमित्थं गर्हणीयत्वमिति चेत् ? न, तद्भङ्गे तदेकमात्रजीवितस्य गुणमात्रस्य भङ्गात् । उक्तं च - . अर्हच्चैत्यानां सुसाधुपूजारतो दृढाचारः । सुश्रावको वरतरं न साधुवेशेन च्युतधर्मः ॥
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy