SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • •. . .9૪૩ ગાથા : ૧૫૦ . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ... અભ્યપગમ છે એ રીતે પણ, ઉત્પદ્યમાન ઉત્પન્ન છે તેની જેમ વિગચ્છત =નાશ પામતી વસ્તુ, વિગત =નષ્ટ, હોય છે. એથી કરીને નાશ પામતા ચારિત્રનું પણ ત્યારે = શૈલેશીના ચરમ સમયમાં, વિગતપણું = નષ્ટપણું, હોવાથી અવિદ્યમાન એવા તેનાથી = ચારિત્રથી, કેવી રીતે મોક્ષનો ઉત્પાદ = ઉત્પત્તિ, થાય? અર્થાત્ ન થાય. સિદ્ધાંતપક્ષી સ્વકથનની પુષ્ટિ કરતાં કહે છે તલાની ત્યારે = શૈલેશીના ચરમ સમયમાં, તે = ચારિત્ર, વિગચ્છ =નાશ પામતું જ હોતું નથી એમ ન કહેવું, કેમ કે કામણ શરીરના પરિણારૂપતદ્ધિનાશકક્રિયાનું ત્યારે = શેલેશીના ચરમસમયમાં, સંપન્નપણું હોવાને કારણે તેનું =ચારિત્રનું, વિગચ્છદ્રૂપપણું છે. ભાવાર્થ - સિદ્ધાંતપક્ષને ચારિત્ર મોક્ષમાં અભિમત નથી, તેથી કર્મવાળી અવસ્થામાં જ ચારિત્ર તેમને અભિમત છે. અને કર્મના સંબંધકાળમાં વર્તનારા ભાવો કર્મના નાશથી નાશ પામે છે અને ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં કાર્મણશરીરનો પરિશાટ થાય છે, તેથી કાશ્મણશરીરવાળી અવસ્થામાં વર્તતા ભાવોના નાશ પ્રતિ કાર્મણશરીરના પરિશાદરૂપ ક્રિયા છે, અને ૧૪મા ગુણસ્થાનકના અંતમાં કાર્મણશરીરના પરિણારૂપ ક્રિયા ચારિત્રની વિનાશક છે, માટે ચારિત્ર વિગચ્છરૂપવાળું છે. માટે વિગરછત્ એવા ચારિત્રનો ૧૪મા ગુણસ્થાનકના ચરમ સમયમાં અભાવ છે. માટે અસત્ એવા તેના વડે મોક્ષની ઉત્પત્તિ ન થાય, એમ સંપ્રદાયપક્ષીનો આશય છે. ટીકાર્ય - તવુt' ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયમાં કાર્યણશરીરનો પરિશાટ છે તેમાં સાક્ષી આપતાં કહે છે‘જોયામા તૈજસ-કાર્પણનો વળી સંઘાત નથી, કેમ કે સંતાનરૂપે અનાદિપણું છે અને ભવ્યોને શેલેશીના ચરમ સમયમાં શાટ છે = તૈજસ-કાશ્મણ શરીરનો પરિપાટ છે. [; “ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ-ભાષ્યની આ ગાથાનું તાત્પર્ય એ છે કે તૈજસ અને કાર્મણનો જીવની સાથે સંબંધ ન હોય અને સંબંધથતો ' હોય તો તે સંઘાત પદાર્થ છે, પરંતુ તૈજસ-કાશ્મણશરીરનો જીવની સાથે સંતાનરૂપે અનાદિકાળથી સંબંધ હોવાથી સંઘાત નથી, અને શૈલેશીના ચરમ સમયમાં શાટ= પરિશાટ છે. સંઘાત નથી અને શાટ છે એમ કહેવાનું પ્રયોજન એ છે કે સામાન્યથી જેનો સંઘાત થાય છે તેનો શાટ= વિયોગ થાય છે, પરંતુ તૈજસ-કાશ્મણશરીરનો સંઘાત નહીં હોવા છતાં શૈલેશીના ચરમ સમયમાં શાટ= વિયોગ છે. ટીકાર્ય - તમિ ' અહીં સિદ્ધાંતી કહે છે કે તેનો વિગમ=ચારિત્રનો વિગમ, અને મોક્ષના ઉત્પાદનો એક સમયમાં પણ વિરોધ નથી, જે પ્રમાણે પરભવના પ્રથમ સમયમાં પ્રાગેહનો પરિપાટ અને ઉત્તરદેહના સંઘાતનો વિરોધ નથી. १. तैजसकार्मणयोः पुनः संतानोऽनादिको न संघातः । भव्यानां भवेत् शाटः शैलेशीचरमसमये ॥ २. यस्माद् विगच्छद् विगतमुत्पद्यमानमुत्पन्नम् । ततः परभवादिसमये मोक्षाऽऽदानयोर्न विरोधः ॥ ३. तस्सोदइयाईया भव्वत्तं च विणिवत्तए समयं । सम्मत्त नाणदंसणसुह सिद्धताई मोत्तूणं ॥ [ ] (तस्यौदयिकादिका भव्यत्वं च विनिवर्त्तते समकम् । सम्यक्त्व-ज्ञान-दर्शन-सुख-सिद्धत्वानि मुक्त्वा ।।)
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy