________________
૭૩૪ . . . . . . • • • • • : : :
- અધ્યાત્મમત પરીક્ષા .......... ગાથા -૧૪૯-૧૫૦ સ્થિરભાવરૂપ જ ચારિત્ર છે અને તે વીર્યવિશેષરૂપ છે અને સિદ્ધમાં વીર્યનો નાશ થવાથી ચારિત્રનો અભાવ છે, એ પ્રકારે સિદ્ધાંતકારનો આશય છે.
અહીં “આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયા ક્ષાયિકસમ્યગ્દષ્ટિમાં છે તેમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, કર્મના અંશણયથી ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટે છે અને એ અંશને આશ્રયીને આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયા ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં ઘટી જાય છે, માટે અવિરત ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચારિત્ર માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. અને પરિપૂર્ણ મોહનો સ્પર્શ ન થાય તેવી આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયા નિર્વિકલ્પ ઉપયોગથી જિનકલ્પી આદિને પ્રારંભિક હોય છે, અને વીતરાગને તેની નિષ્ઠા થાય છે, તેને જ અન્યાદશવિવક્ષા શબ્દથી ગ્રહણ કરીને સિદ્ધાંતકારે કહ્યું કે, નિર્વિકલ્પદશારૂપ આત્મમાત્રઅપેક્ષાવાળી ક્રિયાની જો તમે વિચક્ષા કરશો અને તેને ચારિત્ર કહેશો, તો અમે જે ભાવઐયરૂપ ચારિત્ર કહીએ છીએ તેમાં જ તમારા કથનનું પર્યવસાન છે. માટે શબ્દમાત્રથી કથનનો ભેદ છે, અર્થથી બન્નેને ભાવસ્થર્યરૂપ ચારિત્ર અભિમત છે; અને તે ચારિત્ર મોક્ષમાં નથી એમ સિદ્ધાંતકાર માને છે, તેનો આધાર આગમવચન છે. જયારે કેટલાક આચાર્યો તે આત્મમાત્રઅપેક્ષિણી ક્રિયાને સિદ્ધમાં સ્વીકારે છે, તેનું આલંબન કોઈ નથી, એ પ્રકારનો સિદ્ધાંતકારનો આશય છે. I૧૪૯ll. ઉત્થાન - ગાથા - ૧૪૭ની ટીકામાં અંતે કહેલું કે આ રીતે નિશ્ચયનયનો અનુરોધ નહીં થાય, એ કથનને સામે રાખીને યજુથી કહે છે – અવતરણિકા – વજુ મોક્ષોત્તસમયનઝર વારિત્ર નો પ્રતિ મૈથિી IRUતા જ વિત્યુ तद्विपरीतमेवेति प्रदिदर्शयिषुराह
અવતરણિકા -જે વળી મોક્ષોત્પત્તિ સમયમાં નશ્વર એવા ચારિત્રની મોક્ષ પ્રતિ નૈઋયિકી કારણતા નહિ થાય એ પ્રમાણે કહ્યું, તે વિપરીત જ છે એ પ્રકારે દેખાડવાની ઇચ્છાવાળા સિદ્ધાંતી કહે છે -
ભાવાર્થ - અહીં વિશેષ એ છે કે મોક્ષના ઉત્પત્તિકાળમાં નશ્વર ચારિત્ર હોવાના કારણે નૈઋયિકી કારણતા નથી, કેમ કે નિશ્ચયનય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક જ માને છે. તેથી મોક્ષની ઉત્પત્તિમાં જો ચારિત્ર હોય તો ચારિત્રની મોક્ષ પ્રતિ નૈૠયિકી કારણતા થઈ શકે, એ પ્રકારની સંપ્રદાયપક્ષીની યુક્તિ છે તે વિપરીત છે, એ પ્રકારે બતાવવા માટે સિદ્ધાંતી કહે છે -
ગાથા -
उज्जुसुयणयमएणं सेलेसीचरमसमयभावित्ति ।
अंतसमओ चिय जओ हेऊ हेउस्स कज्जंमि ॥१५०॥ (ऋजुसूत्रनयमतेन शैलेशीचरमसमयभावीति । अन्तसमय एव यतो हेतुर्हेतोः कार्ये ॥१५०॥)
ગાથાર્થ - ઋજુસૂત્રનયના મતથી શૈલેશીચરમસમયભાવી (ચારિત્ર મોક્ષ પ્રતિ હેતુ છે) રૂતિ = એથી કરીને (અવતરણિકામાં મોલોત્પત્તિસમયે નશ્વર એવા ચારિત્રની મોક્ષ પ્રતિ નૈઋયિકી કારણતા નહિ થાય એ પ્રમાણે જે કહ્યું તે વિપરીત જ છે), જે કારણથી (ઋજુસૂત્રનયના મતે) હેતુનો અંતસમય જ કાર્ય પ્રત્યે હેતુ છે.