SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમોદાદિભાવોના પરિકર્મ (પૂર્વાભ્યાસ)માં ઉપયોગી બને છે. આમ હોવા છતાં શરૂઆતની કક્ષા વખતે જે અવસ્થા છે તેને ઉત્તર અવસ્થાની પ્રત્યે પ્રતિબંધક જ માનવાની હોય તો સમાધિની પ્રારંભિક અવસ્થાને પણ વ્યુત્થાન માનવાનો પ્રસંગ આવશે. તેથી શંકાકારની વાતમાં કોઈ દમ નથી - એ સમજી શકાય છે. H૨૮-૩૦ના પ્રસદ્ગથી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરાય છે.विचित्रत्वमनालोच्य बकुशत्वादिना श्रुतम् । दीक्षाशुधैकरूपेण वृथा भ्रान्तं दिगंबरैः ॥२८-३१॥ બકુશ, કુશીલ વગેરે સ્વરૂપે દીક્ષાની વિચિત્રતા અનેકરૂપતા આગમથી સાંભળેલી હોવા છતાં તેનો વિચાર કર્યા વિના; દીક્ષાનું શુદ્ધ એક જ સ્વરૂપ હોય છે' -આ પ્રમાણે માનીને દિગંબરો નાહક ભ્રમિત થાય છે.-આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, સામાન્ય રીતે બકુશ કે કુશીલાદિ પરિણામના કારણે દીક્ષાનું સ્વરૂપ એકસરખું હોતું નથી. સંયમનાં અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે તેથી પણ દીક્ષાના અસંખ્ય પરિણામો છે-આ પ્રમાણે પ્રવચન-આગમથી જાણેલું હોવા છતાં દીક્ષાનું એક જ જાતનું પરમોપેક્ષાત્મક સ્વરૂપ છે-આવું દિગંબરો કહે છે. સર્વત્ર ઉદાસીનતા સ્વરૂપ પરમોપેક્ષા છે. આવું સ્વરૂપ વ્યવહારકાળમાં હોતું નથી. દીક્ષાનું પારણ્ય (પરમરૂપતા) વ્યવહારકાળમાં દિગંબરો માનતા નથી. શુદ્ધ દીક્ષાના કારણનું
SR No.005691
Book TitleDiksha Batrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year1999
Total Pages74
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy