________________
પરિવર્તમાન હોય છે. છ' માંથી કોઈ પણ એક ભાવલેશ્યા તે તે સમયે હોય છે. સામાન્ય રીતે ઘાતિને આશ્રયી લેશ્યાનો વિચાર કરાય છે.. જિજ્ઞાસુએ લશ્યાના જાણકાર પૂ. ગુરુદેવશ્રી પાસેથી લેયાનું સ્વરૂપ વિસ્તારથી સમજી લેવું જોઈએ. અહીં એ વિષય ન હોવાથી વિસ્તારથી જણાવ્યું નથી.
વાણવ્યન્તરદેવોને ભવપ્રત્યયિક (જન્મસહજ) તેજલેશ્યા હોય છે. એના યોગે સહજ રીતે જ તેઓને શુભ વિચાર આવતા હોય છે. આવી રીતે એક માસના પર્યાયવાળા મુનિભગવંતોને વાણવ્યન્તરદેવોની અપેક્ષાએ શ્રેષ્ઠ તેજોલેશ્યા હોય છે. આ પ્રમાણે બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, પાંચ મહિના, છે મહિના, સાત મહિના, આઠ મહિના, નવ મહિના, દસ મહિના, અગિયાર મહિના અને બાર મહિનાના દીક્ષાપર્યાયમાં અનુક્રમે ભવનપતિ; અસુરકુમાર, ગ્રહ-નક્ષત્ર-તારા; સૂર્ય-ચંદ્ર પહેલાબીજા, ત્રીજા-ચોથા, પાંચમા-છઠાસાતમા-આઠમા નવ-દસઅગિયાર-બારમા દેવલોકના વૈમાનિક દેવો; નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોની તેજોલેશ્યા કરતાં શ્રેષ્ઠ તેજોવેશ્યા હોય છે. અહીં તેજોલેશ્યા શબ્દનો અર્થ “પ્રશસ્ત-શુભલેશ્યા” સમજવો. માત્ર બાર મહિનાના દીક્ષાપર્યાયમાં આવી રીતે અનુત્તરવિમાનના દેવતાઓની તેજલેશ્યા-પ્રશસ્ત(શુભ)લેશ્યા(અધ્યવસાય)નું અતિક્રમણ થાય છે. અર્થાત્ તેઓના સુખની સ્થિતિ કરતાં અધિક સુખની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
. અહીં યાદ રાખવું જોઈએ કે માત્ર સુખની સ્થિતિનું અહીં સામ્ય દર્શાવ્યું છે. આથી વિશેષ કોઈ સામ્ય દર્શાવવાનો આશય
27Choose
Makeતક