SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ હોય્સલ રાજ્યનું બળ મેળવીને જૈનસંઘનું મનોબળ વધ્યું અને તે ફરી બમણા ઉત્સાહથી અને ગતિથી અભિવૃદ્ધિ કરવા લાગ્યો. હોસલ-રાજવંશ અને જૈનસંઘ બંનેએ એકબીજાની અભિવૃદ્ધિને પોતાની અભિવૃદ્ધિ સમજીને પરસ્પર એકબીજાની ઉન્નતિ માટે રાજ્યના પ્રારંભથી લઈને અંત સુધી પૂર્ણ રીતે પ્રયત્નશીલ રહ્યા. હોસલ રાજવંશના રાજાઓએ જૈન ધર્મના પ્રચાર-પ્રસાર અને તેમના વર્ચસ્વની અભિવૃદ્ધિ માટે તથા જૈનસંઘ પર કોઈ પ્રકારનું સંકટ ના ઉપસ્થિત થાય અને થાય તો સંકટથી જૈન ધર્મની રક્ષા માટે અનેક ઉલ્લેખનીય કાર્ય કર્યા. હોત્સલ રાજા સલ અને તેના વંશના રાજાઓની નામાવલી અને શાસન કાળ-અવધિ ક્રમ પ્રમાણે આ પ્રકારે છે : ૧. સલ(પાયુસલ). : પોસલ રાજ્યના સંસ્થાપક અથવા પ્રથમ રાજા સલનો રાજ્યકાળ ઈ.સ. ૧૦૦૪ થી ૧૦૨૨ સુધી રહ્યો. ૨. વિનયાદિત્ય પ્રથમ ? એના સંબંધમાં વિશેષ જાણકારી ઉપલબ્ધ નથી. ૩. નૃપકામ ઃ આનો રાજ્યકાળ ઈ.સ. ૧૦૨૨ થી ૧૦૪૭ સુધીનો માન્યો છે. ૪. વિનયાદિત્ય (દ્વિતીય) ઃ તેનું રાજ્ય ઈ.સ. ૧૦૪૭ થી ૧૦૬૩ સુધી રહ્યું. ૨. એરકંગ આ રાજાનું શાસન ઈ.સ. ૧૦૬૩ થી ૧૧૦૦ સુધી રહ્યું. ૬. વલાલ પ્રથમ: આનો રાજ્યકાળ ઈ.સ. ૧૧૦૦ થી ૧૧૧૦ સુધી રહ્યો. આ ૭. વિષ્ણુવર્ધન વિષ્ણુવર્ધન ઈ.સ. ૧૧૧૦માં હોસલ રાજ્યની રાજગાદી પર બેઠો હતા. તેણે, તેની પટરાણી શાંતલદેવી, તેના આઠ સેનાપતિઓ અને તમામ વર્ગના પ્રજાજનોએ જૈન ધર્મના સર્વતોભુખીમાં અને જૈન ધર્મના વર્ચસ્વ અને સર્વોચ્ચ પ્રતિષ્ઠાના પદ પર પ્રતિષ્ઠાપિત કરવા માટે અપૂર્વ યોગદાન આપ્યું. જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૬૯ ]
SR No.005687
Book TitleJain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages290
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy