________________
પ્રભાચંદ્રનો વિશદ્ ટીકા ગ્રંથ પ્રમેય કમલ માર્તણ્ડ', મલ્લવાદીનું “નયચક્ર', વીરસેનનું “ષખંડાગમ” ઉપર “ધવલા” નામનો મહાન ગ્રંથ, વિરસેન અને જયસેનના કષાયપાહુડ પર “જય ધવલા' નામનો મહાન ટીકા ગ્રંથ, જિનસેનનું “આદિ પુરાણ” તેમજ “પાર્થાન્યુદય' કાવ્ય, ગુણભદ્રનું ઉત્તર પુરાણ” અને “આત્માનુશાસન', મહારાજા અમોઘવર્ષનું “કવિરાજમાર્ગ” અને “પ્રશ્નોત્તર માલિકા' અપભ્રંશના મહાકવિ પુષ્પદંતનું મહાપુરાણ” અને યશોધર કાવ્ય', સોમદેવનું યશસ્તિલક ચમ્પ, વાદીભસિંહ ઉદયદેવનું ક્ષેત્ર ચૂડામણિ' અને ગદ્ય ચિંતામણિ', ઈન્દ્રનંદીનું લોકપ્રિય જવાલા માલિની સ્તોત્ર' વગેરે જૈન સાહિત્ય મહોદધિના ગ્રંથરત્ન આ રાષ્ટ્રકૂટવંશના રાજ્યકાળની દિવ્ય દેન છે. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના શાસનકાળમાં પમ્પ, રત્ન, આગ, ચામુંડરાય વગેરે કન્નડ ભાષાના જૈન કવિઓએ કન્નડ ભાષામાં અભિનવ ઉચ્ચ કોટિના સાહિત્યનું નિર્માણ કર્યું. આનાથી કન્નડનો મહિમા પણ વધ્યો. જૈન સાહિત્યના નિર્માણની દૃષ્ટિથી રાષ્ટ્રકૂટવંશી રાજાઓના શાસનકાળમાં સાહિત્ય સૃજનનો સુવર્ણયુગ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નહિ થાય.
" (હોલ રાજવંશ) ' ' (વી. નિ. સં. ૧૫૩૧ થી ૧૬૪૭ સુધી)
ઈ.સ. ૯૭રમાં ચાલુક્યરાજ તૈલ દ્વારા રાષ્ટ્રકૂટવંશના વિસમાં રાજા કર્કરાજ (દ્વિતીય અમોઘવષ)ના પરાસ્ત થવાથી અને રાષ્ટ્રકૂટ રાજાઓની રાજધાની માન્યખેટ(મલખેડ)ના પતનના પશ્ચાત્ જૈનસંઘ થોડા સમય સુધી રાજ્યાશ્રયથી વંચિત રહ્યો. તે સમયે શેવો અને વૈષ્ણવ ધર્માવલંબીઓએ રાજ્યાશ્રય પ્રાપ્ત કરીને જૈનસંઘના પ્રચાર-પ્રસારમાં અનેક પ્રકારના અવરોધ ઊભા કર્યા, પરિણામ સ્વરૂપ દક્ષિણનો પ્રાચીન અને સબળ જૈનસંઘ ધીમે-ધીમે ક્ષીણ થવા લાગ્યો.
જૈન ધર્મના આ પ્રકારના હૂસોન્મુખી પ્રવાહને પુનઃ પહેલાંની જેમ વિકાસશીલ કેવી રીતે બનાવી શકાય? આ એક જ્વલંત સમસ્યા જૈનસંઘની સમક્ષ ઉપસ્થિત થઈ. તત્કાલીન કટુતાપૂર્ણ ધાર્મિક પ્રતિદ્રુદ્રિતા અને અસહિષ્ણુતાના યુગમાં જૈન ધર્મને રાજ્યાશ્રયની આવશ્યકતા વર્તાવા લાગી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9969696969696969696969 ૬૦ ]