________________
૫. વિક્રમની પાંચમી શતાબ્દીના યાપનીય આચાર્ય શિવાર્ય દ્વારા
રચિત ગ્રંથ “ભગવતી આરાધના'માં ઉલ્લેખાયેલ અધિકાંશ ગાથાઓ, મેતાર્ય મુનિના આખ્યાન અને કલ્પ વ્યવહાર વગેરે સામગ્રી
એ જ રૂપમાં વિદ્યમાન છે, જે રૂપમાં શ્રેતાંબર પરંપરામાં માન્ય છે. ૬. યાપનીય રત્નત્રયની પૂજા કરતા હતા, કલ્પસૂત્રની વાચના કરતા
હતા અને જૈનેતર ધર્મના અનુયાયીઓનું સહસ્ત્રાવસ્થામાં પણ
મોક્ષ માનતા હતા. ૭. શ્વેતાંબરાચાર્ય ગુણરત્નએ યાપનીય સાધુઓના વેશ અને તેઓના
બે-ત્રણ કાર્યકલાપો પર પ્રકાશ પાડતા “પદર્શન સમુચ્ચય'ની ટીકામાં લખ્યું છે કે - “યાપનીયસંઘના મુનિ નિર્વસ્ત્ર રહેતા હતા. મોરની પીંછી રાખતા હતા, પાણિતલભોજી છે, નગ્ન મૂર્તિઓની પૂજા કરે
છે તથા વંદન-નમસ્કાર કરવા પર શ્રાવકોને ધર્મલાભ કહે છે. ૮. વિક્રમની પાંચમી શતાબ્દી સુધી યાપનીયસંઘમાં આ પરિપાટી
અથવા પ્રથા પ્રચલિત હતી કે - “કોઈ સાધુના દિવંગત થઈ જવા પર તેના શબને સાધુ જ પોતાની કાંધો પર ઉઠાવીને જંગલમાં લઈ જઈને મૂકી આવતા હતા.'
આ બધા ઉલ્લેખોથી એ નિષ્કર્ષ નીકળે છે કે - “પાપનીય પરંપરાની માન્યતાઓ, આચાર-વિચાર વગેરે શ્વેતાંબર પરંપરાની માન્યતાઓ અને શ્વેતાંબર પરંપરાના આચાર-વિચારથી, દિગંબર પરંપરાની અપેક્ષા અધિક મેળ ખાતા હતા.
(યાપનીય પરંપરા દ્વારા એક મોટું પરિવર્તન) યાપનીય પરંપરાની ઉપર વર્ણવેલ માન્યતાઓ અને તે પરંપરાનાં શ્રમણ-શ્રમણી વર્ગના આચાર-વિચારથી એવું પ્રતીત થાય છે કે - યાપનીય પરંપરા કેટલીક શતાબ્દીઓ સુધી વિહરૂક અર્થાત્ અપ્રતિહત વિહારી જ રહી. ચાતુર્માસકાળને છોડીને, વર્ષના શેષ આઠ મહિનાઓમાં તે દેશના વિભિન્ન પ્રદેશોમાં વિચરણ કરતા-કરતા ધર્મના પ્રચાર-પ્રસાર કરતા રહેતા. પણ ઈસાની ચોથી શતાબ્દીમાં સંભવ છે કે ચૈત્યવાસીઓના વધતા જતા પ્રભાવને જોઈને યાપનીયસંઘનાં સાધુ-સાધ્વીઓ, આચાર્યો અને અનુયાયીઓએ પણ નિયત-નિવાસને અપનાવવાનો પ્રારંભ કરી [ પ 5696969696969696990ન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)