________________
'યાજ્ઞીય પરંપરા દેવગિણિ ક્ષમાશ્રમણના સ્વર્ગવાસ પછી ભગવાન મહાવીરના મૂળ ધર્મસંઘમાંથી પૃથફ એકાઈના રૂપમાં ઉદિત થઈને સંપૂર્ણ ધર્મસંઘ પર થોડા સમય સુધી પૂર્ણ વર્ચસ્વની સાથે છવાઈ જવાવાળી દક્ષિણાપથની પરંપરાઓમાં યાપનીય પરંપરાનું પ્રમુખ સ્થાન રહ્યું છે. આજે પાપનીય પરંપરા ભારતના કોઈ પણ ભાગમાં વિદ્યમાન નથી, પરંતુ તે પરંપરાના વિદ્વાન આચાર્યો તેમજ સંતો દ્વારા લખાયેલ કેટલાક ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે. યાપનીયસંઘના ગણ અને ગચ્છનાં નામ આ પ્રકારે છે : ૧. પુન્નાગવૃક્ષ મૂળગણ ૮. કોટિ મહુવગણ ૨. બલાત્કારગણ
૯. મેષ પાષાણ ગચ્છ ૩. કુમિદીગણ
૧૦. તિ—િણીકગચ્છ ૪. કપૂરગણ અથવા ક્રાણૂરગણ ૧૧. કનકોત્પલ સંભૂતવૃક્ષ મૂલગણ ૫. મહુવગણ
૧૨. શ્રીમૂલ મૂલગણ ૬. બસ્કિયૂરગણ
૧૩. સૂરસ્થ ગણ. ૭. કારેયગણ અને મેલાપ અન્વય
પ્રાચીન અને તેના ઉત્તરવર્તી કાળના અભિલેખોથી એ પ્રગટ થાય છે કે - યાપનીયસંઘ ઈસાની ચોથી સદીથી દસમી-અગિયારમી સદી સુધી ઘણો જ રાજમાન્ય તેમજ લોકપ્રિય સંઘ રહ્યો છે, કદંબ, ચાલુક્ય, ગંગ, રાષ્ટ્રકૂટ, રટ્ટ વગેરે રાજવંશોના રાજાઓએ પોતપોતાને શાસનકાળમાં આ સંઘના વિભિન્ન ગણો, ગચ્છોના આચાર્યો તેમજ સાધુઓને ગ્રામદાન, ભૂમિદાન વગેરેના રૂપમાં સહયોગ આપીને જૈન ધર્મને સંરક્ષણ પ્રદાન કર્યું. લગભગ છ-સાત શતાબ્દીઓ સુધી રાજમાન્ય રહેવાના કારણે યાપનીયસંઘની ગણના મધ્યયુગમાં કર્ણાટકના પ્રમુખ અને શક્તિશાળી ધર્મસંઘના રૂપમાં કરવામાં આવતી રહી.
યાપનીયસંઘનો ઉદ્ભવ કયારે થયો? આના સંસ્થાપક પ્રથમ આચાર્ય કોણ હતા? કઈ પરિસ્થિતિઓમાં તેનું પૃથક વિભાગના રૂપમાં ગઠન કરવામાં આવ્યું? કયા સ્થાનમાં આનું ગઠન કરવામાં આવ્યું?આ બધા પ્રશ્નોના સમુચ્ચિત જવાબ ઠોસ પ્રમાણોના અભાવે આપવામાં આવી શકાય તેમ નથી. [ ૫૦ 696969696969696969696969 જૈન ધર્મનો મલિક ઇતિહાસઃ (ભાગ-૩)