________________
એ સમયે પારસમલજી ૩૦ વર્ષના હતા. ઘણા સંબંધ આવ્યા તથા પરિવારજનોનું ઘણું દબાણ રહ્યું, પણ તેઓ ટસ ના મસ ન થયા. પોતાના ગુરુના વચનને પથ્થરની લકીર સમજીને પરિવારજનોનો આગ્રહ હોવા છતાં પુનર્વિવાહ ન કર્યો.
ગુરુના એક વાક્યને શિરોધાર્ય કરીને પારસમલજીએ પોતાના જીવનમાં કોઈ નવું સાંસારિક કાર્ય પણ ન કર્યું. વેપાર ન કર્યો, જમીનજાયદાદ, સોનું, ચાંદી, ઘરેણાં આદિ ખરીદ્યાં નહિ. જીવનના શેષ ૫૪ વર્ષ ગુરુસેવા તથા સંયુકત પરિવારમાં રહેતાં ધર્મ-ધ્યાનમાં વિતાવ્યાં. ચાતુર્માસ સિવાય પણ મહિનાઓ સુધી તેઓ ગરુસેવામાં રહેતા અને એમની વિહારયાત્રાઓમાં પણ સાથે ચાલતા હતા. સત્સંગ, બ્રહ્મચર્ય, ધર્મ-ધ્યાન આદિથી સભર જીવન જીવતા હતા. નીરોગી અને સ્વસ્થ જીવનનું રહસ્ય ધર્મમય જીવન હતું. ગુરુના એક વચન પર એમણે પોતાના જીવનની સમસ્ત સાંસારિક ઇચ્છાઓને સમાપ્ત કરી દીધી અને એ દિશામાં કદી વિચાર્યું નહિ. આદર્શ પિતા :
એ સમયે નાગૌરમાં આજની જેમ વિદ્યાલય ન હતા. કિશનલાલ ગુરાંસાની પાઠશાળામાં બાળકોને ભણવા માટે મોકલવામાં આવતા હતા. વાલી એક નારિયેળ લઈને આવતા અને પોતાના બાળકને પાઠશાળામાં દાખલ કરતા. પારસમલજી પોતે ભણેલા ન હતા, પણ દીકરાને ભણાવવાની એમને તમન્ના હતી. એમણે શિખરમલને જ્યારે પાઠશાળામાં પ્રવેશ અપાવ્યો, એ વખતે શ્રીફળની સાથે ગુરુજીને સવા પાંચ રૂપિયા પણ ભેટ આપ્યા. એ વખતે સવા પાંચ રૂપિયાની ખૂબ કિંમત હતી. દર મહિને પુત્રના અભ્યાસ બાબત ગુરુજીને તેઓ પૂછતા. આ રીતે શિખરમલ પ્રત્યે ગુરુજીને વ્યક્તિગત રુચિ થઈ ગઈ. એમણે ઓછી ઉંમર હોવા છતાં બે વર્ષ પછી અન્ય બે વર્ષનો સીધો લાભ આપી શિખરમલને સીધા પાંચમા ધોરણમાં લઈ લીધા.
આ બાજુ પારસમલજીને ખબર પડી કે મદ્રાસમાં સારો અભ્યાસ થાય છે તો એમણે પુત્રને મદ્રાસ મોકલવા વિશે સંકલ્પ કર્યો. એ દિવસોમાં એમના અનુજ સરદારમલજીના સાળાજી સૂરજમલજી બોહરાનો કારોબાર મદ્રાસમાં હતો. પારસમલજીએ એમની સાથે વાત ૨૦૨ કે દદ}636969696969696963 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)