________________
ગાથાની રચના કરી. પરંતુ રાજાને તેમાંથી એક પણ ગાથા પ્રભાવશાળી ન લાગી. આ પ્રમાણે કોઈ અપ્રતિમ પ્રતિભાશાળી વિદ્વાનની શોધ માટે મહામાત્ય, અમાત્યો અને અન્ય રાજપુરુષોએ તમામ ધર્મનાં આશ્રમો, મઠો, મંદિરો, ધર્મસ્થળો વગેરેમાં, ચાર રસ્તાઓ ઉપર, ચૈત્યોના ઝરૂખાઓમાં જવા-આવવાનું શરૂ કરી દીધું.
એક દિવસ રાજા ભીમના પ્રધાનપુરુષ ગોવિંદસૂરિના ચૈત્યમાં જઈ પહોંચ્યા. તે દિવસે સંજોગોવશાત્ તે ચેત્યમાં કોઈ મોટા ઉત્સવની ઉજવણી માટે નૃત્યકળામાં નિષ્ણાત નર્તકીઓના મૃત્યસંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂરાચાર્ય ત્યાં જ ઉપસ્થિત હતા. નૃત્યની મહેનતથી પૂરી રીતે થાકી ગયેલી એક નર્તકીએ પોતાનો પરસેવો સૂકવવા માટે પવનની શોધમાં આરસના પથ્થરથી બનેલા એક થાંભલાને પોતાના બાહુપાશમાં ઝકડી લીધો અને તે ત્યાં અચલ મુદ્રામાં આરામ કરવા લાગી.
ગોવિંદસૂરિએ સૂરાચાર્યની તરફ જોઈને તેમને આ અદ્ભુત દેશ્યનું વર્ણન કરવા માટે વિનંતી કરી. આશુકવિ સૂરાચાર્યે પોતાના અદ્ભુત કાવ્યકૌશલથી બધાને ચમત્કૃત કરી નાખતાં એક શ્લોક સંભળાવ્યો. તે સાંભળીને બધા આશ્ચર્યચકિત રહી ગયા. - રાજા ભીમના અમાત્ય પણ ત્યાં ઉપસ્થિત હતા. તે અમાત્યોને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે તત્કાળ જઈને રાજાને નિવેદન કર્યું કે - “ગોવિંદાચાર્યની પાસે એક અદ્ભુત પ્રતિભાશાળી એવા મહાકવિ છે, જે રાજા ભોજની ગાથાનો બધી રીતે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં સર્વથા સમર્થ છે.”
રાજાએ કહ્યું : “અરે ! ગોવિંદાચાર્ય તો આપણી સાથે સૌહાર્દુ (સારા-સારી) રાખવાવાળા સૂરિ (આચાર્ય) છે. તે કવિનું સન્માન કરીને તેમને અને તેમના ગુરુને અહીં લઈ આવો.”
ગોવિંદસૂરિની સાથે સૂરાચાર્યને જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયો અને બોલ્યો : “અરે ! આ તો મારા મામાના પુત્ર છે. માટે મારા લઘુભ્રાતા (નાના ભાઈ) જ છે. તે અસંભવને પણ સંભવ કરવામાં બધી રીતે સક્ષમ છે.”
રાજસભાના વિદ્વાનોએ રાજા ભોજ દ્વારા તેમના પ્રધાનો સાથે મોકલેલી ગાથા સૂરાચાર્યને સંભળાવી. તે ગાથાને સાંભળતાં સૂરાચાર્યે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 26969696969696969696962 ૨૪o |