________________
મિહાવલોકન
* (ઇતિહાસની ધારાઓ) પ્રસ્તુત ઇતિહાસના પ્રથમભાગ(તીર્થકર ખંડ)માં કુલકરકાળથી પ્રારંભ કરી વર્તમાન અવસર્પિણીકાળમાં કર્મયુગના આદ્યપ્રવર્તક, પ્રથમ રાજા, પ્રથમ તીર્થકર ભ. ઋષભદેવથી ચોવીસમા તીર્થકર ભ. મહાવીરના નિર્વાણ સુધીના અને દ્વિતીય ભાગમાં ભ. મહાવીરના નિર્વાણ પછીના તેમના પ્રથમ પટ્ટધર આચાર્ય સુધર્માથી સત્યાવીસમા પટ્ટધર આચાર્ય દેવધિ ક્ષમાશ્રમણ પર્યત વિ. નિ. સં. ૧ થી વી. નિ. સં. ૧૦૦૦ સુધીનો જૈન ધર્મનો વિશદ્ ઇતિહાસ પ્રસ્તુત કરી ચૂક્યા છીએ. આ ઇતિહાસમાળાના આલેખનના પ્રારંભથી જ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ધાર્મિક ઇતિહાસની સાથે-સાથે સમકાલીન રાજનૈતિક અને સામાજિક ઘટનાઓ પર પણ યથાશક્ય પ્રકાશ પાડવામાં આવે.
હવે આ તૃતીય ભાગમાં વી. નિ. સં. ૧૦૦૧ થી ૧૪૭૫ સુધીના જૈન ધર્મનો ઇતિહાસ, તત્કાલીન પ્રમુખ રાજનૈતિક અને સામાજિક ઘટનાઓના સંક્ષિપ્ત વિવરણની સાથે પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. ધર્મ અને ઇતિહાસમાં અભિરુચિ રાખવાવાળા સામાન્ય પાઠક પણ જૈન ધર્મના ઇતિહાસના પ્રારંભથી લઈને અંત સુધી પ્રમુખ ઐતિહાસિક ઘટનાઓને સહજથી પોતાના સ્મૃતિપટ પર અંકિત કરી શકે એ ઉદ્દેશથી સંપૂર્ણ ઇતિહાસકાળને ૬ વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે.
ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સુધીના કાળને “તીર્થકરકાળ ભગવાન મહાવીરના દ્વિતીય પટ્ટધર આર્ય જબૂના નિર્વાણ સુધીના કાળને કેવળીકાળ' (વી. નિ. સં. ૬૪ સુધી), આર્ય પ્રભાવથી પ્રાચીન-ગોત્રીય ભદ્રબાહુ (પ્રથમ) સુધીના કાળને “શ્રુતકેવળીકાળ' (વી. નિ. સં. ૬૪ થી ૧૭૦ સુધી), આર્ય સ્થૂલભદ્રથી આર્યવજ સુધીના કાળને દશપૂર્વધરકાળ' (વી. નિ. સં. ૧૭૦ થી ૫૮૪), આર્ય રક્ષિતથી અંતિમ પૂર્વધર આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીના કાળને “સામાન્યપૂર્વધરકાળ' (વી. નિ. સં. ૧૮૪ થી ૧૦૦૦ સુધી) તથા આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના ઉત્તરાવર્તીકાળ અર્થાતુ વિ. નિ. સં. ૧૦૦૧ થી વર્તમાનકાળને સામાન્ય શ્રુતધરકાળ'ની સંજ્ઞા આપવામાં આવી છે. જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 26969696969696969696969]. ૧૫ ]