________________
ગયા. આ રીતે ચૈત્યવાસી પરંપરાના લુપ્ત થતાં જ સાંડેરગચ્છના મોટા ભાગના શ્રાવક તપાગચ્છના શ્રાવક બની ગયા.
સાંડરગચ્છની પટ્ટાવલી’ને જોતાં એ ધારણા કરવામાં આવે છે કે - “વિક્રમની સત્તરમી સદીના અંતિમ ઉત્તરાર્ધ સુધી ચૈત્યવાસી પરંપરાનું ચૂનાધિક (અલ્પમાત્રામાં) રૂપથી અસ્તિત્વ રહ્યું હતું.'
હટૂડિયાગચ્છ પણ એક રીતે સાંડેરગચ્છની જ શાખા હતી. આથી. આ શાખાના શ્રાવક પણ અંતમાં ચૈત્યવાસી પરંપરાના લુપ્ત થઈ જવાથી તપાગચ્છના ઉપાસક બની ગયા.
' મંત્ર-તંત્ર અને ચમત્કાર પ્રદર્શનના યુગમાં સાંડરગચ્છના આચાર્ય યશોભદ્રસૂરિ અને બલિભદ્રસૂરિએ જિનશાસનની ઉલ્લેખનીય પ્રભાવના કરી.
(આચાર્ય યશોભદ્રસૂરિ ) મરુધર પ્રદેશમાં વિક્રમની દશમી સદીમાં થયેલા આચાર્યોમાં ચૈત્યવાસી પરંપરાના યશોભદ્ર નામના એક પ્રભાવક આચાર્ય થયા. તેમનો યુગ ચમત્કારો અને મંત્રશક્તિઓની પ્રતિસ્પર્ધાનો યુગ હતો. મરુધરાના નારલાઈની આસપાસના ક્ષેત્રમાં પ્રચલિત દંતકથા મુજબ નારલાઈના ગોસાંઈઓ અને યતિઓ (ચૈત્યવાસી સાંડેરગચ્છના આચાર્ય) વચ્ચે મંત્રશકિતના પ્રદર્શનની સ્પર્ધા યોજાઈ. બંને પક્ષ મંત્રશકિતના ચમત્કાર-પ્રદર્શનમાં, આપસમાં એકબીજાથી શ્રેષ્ઠ હોવાનો દાવો કરવા લાગ્યા. બંને પક્ષોએ આના નિર્ણય માટે પરીક્ષાના રૂપમાં એક શરત રાખી કે - “લૂણી નદીના કાંઠે વસેલા પૈરથલ ગામમાં એક તો આદિનાથ ભગવાન ઋષભદેવનું મંદિર છે, અને બીજું શિવમંદિર છે. યતિ અને ગોસાંઈ તે બંને પક્ષોમાંથી જે પક્ષ પોતાના આરાધ્ય પ્રભુના મંદિરને પોતાની મંત્રશક્તિના જોરે ખેરથલથી ઉપાડીને સૂર્યોદય પહેલાં નારલાઈમાં લઈ આવશે, તે જ પક્ષને મંત્રશક્તિમાં શ્રેષ્ઠ અને મોટો માનવામાં આવશે, અને તે જ પક્ષને એ અધિકાર હશે કે, તેઓ પોતાના તે મંદિરને નારલાઈના પર્વત પર પ્રતિષ્ઠાપિત કરી શકે. જે પક્ષ આરાધ્યદેવના મંદિરને પોતાના પ્રતિપક્ષીના પછી મોડેથી લાવશે, તે પક્ષ પોતાના મંદિરને પર્વત પર ન ૨૦૦ છ69696969696969696969જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)