________________
આવ્યું. સરળ સંક્ષિપ્તીકરણ કરવાથી વિસ્તૃત વાચનારાઓ સુધી આ અનુપમ કૃતિ પહોંચશે તથા સામાન્ય વ્યક્તિ પણ જૈન ઇતિહાસથી પરિચિત થઈ શકશે. આ રીતે સંક્ષિપ્તીકરણથી લાખો જૈન-અજૈન, આબાલવૃદ્ધ તથા દરેક શ્રેણીના જિજ્ઞાસુઓને ફાયદો થશે. ગ્રંથનો આકાર નાનો થઈ જવાથી પાઠક અને પ્રવાસમાં પણ પોતાની સાથે રાખી શકે અને અવકાશ મળતા વાંચી પણ શકે છે. આ
ગ્રંથના આ તૃતીય ભાગના હિન્દી સંક્ષિપ્તીકરણનું કાર્ય સુરત નિવાસી તપસ્વી-શ્રાવક જયવંતભાઈ પી. શાહ, બી. ઈ. સિવિલ(નિવૃત્ત અધીક્ષક અભિયતા ગુજરાત સરકાર)ના અથાગ પરિશ્રમથી સંપન્ન થયું. સામાયિક-સ્વાધ્યાયના પ્રતિ અનન્ય નિષ્ઠા રાખનાર શ્રી શાહે સંક્ષિપ્તકરણના આ કાર્યમાં સામાયિક અને સ્વાધ્યાયને એકમેક કરી દીધાં. દરરોજ સામાયિક ગ્રહણ કરી ઇતિહાસના સંક્ષિપ્ત પાઠ લખી-લખી એમણે આ કાર્ય કર્યું. વરિષ્ઠ સ્વાધ્યાયી શ્રી શાહ સાધુ-સાધ્વીઓને જ્ઞાન-ધ્યાન પણ શીખવતાં હતાં. રાષ્ટ્રીય સ્તર પર આયોજિત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ - ખુલ્લી પુસ્તક પરીક્ષામાં તેઓ પ્રથમ પુરસ્કારથી સન્માનિત થયા. એમની આ શ્રુતસેવા માટે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
| વિશ્વવિદ્યાલય સ્વર્ણપદક વિજેતા તથા આચાર્ય હસ્તી સ્મૃતિ સન્માન(૨૦૦૬)થી વિભૂષિત સાહિત્યકાર ડૉ. દિલીપ ધીંગે હિન્દી સંક્ષિપ્ત સંસ્કરણનું સંપાદન કર્યું. ભૂપેન્દ્ર જૈને પેજ-સેટિંગ કર્યું. બધા સહયોગકર્તાઓ પ્રતિ આભાર.
ગુજરાતી અનુવાદનું કાર્ય શ્રી ચેનરાજ જવાહરલાલ કોઠારી અમદાવાદવાળાએ કરી આપેલ છે અને પ્રકાશન કરવામાં અ.ભા.શ્રી જૈન રત્ન હિતૈષી શ્રાવક સંઘના રાષ્ટ્રીય ઉ. પ્રમુખ શ્રી પદમચંદજી જે. કોઠારી તથા તેમના ભ્રાતાશ્રી ચેનરાજજી. જે. કોઠારી અમદાવાદવાળાઓએ પ્રુફ રીડીંગ શુદ્ધિકરણમાં જે સહયોગ કર્યો છે તે પ્રત્યે અમે હાર્દિક કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ.
સંક્ષિપ્તીકરણના આ કાર્યમાં એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે કે – “ભાષા, તથ્ય વગેરે કોઈ પણ પ્રકારની ત્રુટિ ના રહે. તેમ છતાં પણ જો ક્યાંય કોઈ ભૂલ થઈ હોય તો પ્રબુદ્ધ પાઠક અમને અવગત કરશો | કરાવશો; જેથી આગામી સંસ્કરણમાં સુધારો કરી શકાય.” પી. શિખરમલ સુરાણા સંપતરાજ ચૌધરી વિરદરાજ સુરાણા અધ્યક્ષ - કાયધ્યિક્ષ.
, મંત્રી. સમ્યગજ્ઞાન પ્રચારક મંડળ ૪ 2369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) |