________________
બત્રીસમા યુગપ્રધાનાચાર્ય શ્રી પુષ્પમિત્ર
યુગપ્રધાનાચાર્ય શ્રી પુષ્યમિત્ર
જન્મ
દીક્ષા
સામાન્ય
• વી. નિ. સં. ૧૧૫૨ ટિપ્પણી : તિત્વોગાલિ પઇણ્ય’ના : વી. નિ. સં. ૧૧૬૦ ઉલ્લેખો અનુસાર આચાર્ય પુષ્યમિત્ર : વી. નિ. સં. ૧૧૬૦ ૮૪૦૦૦ પદોવાળા સર્વાંગપૂર્ણ થી ૧૧૯૭ |‘ભગવતી સૂત્ર’ના અંતિમ ધારક થયા
સાધુપર્યાય
યુગપ્રધાનાચાર્ય : વી. નિ. સં. ૧૧૯૭ છે. તેઓ મહાન ચિંતકની સાથે-સાથે થી ૧૨૫૦ વિશુદ્ધ શ્રમણાચારની રક્ષામાં નિપુણ
પર્યાય
: વી. નિ. સં. ૧૨૫૦ હતા. તેમના સ્વર્ગસ્થ થતાં જ વી. નિ. સં.
: ૯૮ વર્ષ
સ્વર્ગારોહણ
સર્વાયુ
૧૨૫૦માં ભગવતી સૂત્ર સહિત છ અંગોનો ક્ષય થઈ ગયો.
હર્ષવર્ધન - અપરનામ શીલાદિત્ય
વી. નિ.ની બારમી શતાબ્દીમાં સ્થાનેશ્વર અને કનોજના મહારાજા હર્ષવર્ધન એક મહાન પ્રતાપી અને ભારતીય ઇતિહાસમાં ખૂબ જ યશસ્વી રાજા થઈ ગયા. હર્ષ સ્વયં પોતે ઘણા જ વિદ્વાન હોવાની સાથે-સાથે વિદ્વાનોને સમાદર આપવાવાળા, સાહિત્ય-નિર્માતા, સાહસી યોદ્ધા, રણનીતિ વિશારદ અને શાંતિના પૂજારી હતા.
પોતાની માતૃભૂમિથી વિદેશી હૂણોનું શાસન હંમેશાં માટે સમાપ્ત કરી નાખવાનું સફળ અભિયાન હર્ષવર્ધને આરંભ્યું હતું. તેનાથી સહજમાં અનુમાન લગાવી શકાય છે કે તેમનું રોમ-રોમ દેશપ્રેમના ગાઢ રંગમાં રંગાયેલું હતું. તેમનામાં તમામ ધર્મોને સમાન દૃષ્ટિથી આદર આપવાની ધાર્મિક સહિષ્ણુતા હતી.
પરમ ભટ્ટારક મહારાજા પ્રભાકરવર્ધન (અપરનામ પ્રતાપશક્તિ) અને રાણી યશોમતી દેવીને બે પુત્ર હતા. મોટો પુત્ર પરમ ભટ્ટારક મહારાજા રાજ્યવર્ધન બૌદ્ધધર્મી તથા નાનો પુત્ર પરમ ભટ્ટારક મહારાજા હર્ષવર્ધન શૈવધર્મી હતા.
૧૧૮ ૭૭૭GFGFFIC જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)