________________
- દિક્ષિણા: જૈન ધર્મ યર સંકટ
કલભો વડે તમિલ પ્રદેશ પર અધિકાર પેરિયપુરાણ'ના ઉલ્લેખોથી એક ઐતિહાસિક તથ્ય પ્રકાશમાં આવે છે કે “વી. નિ.ની અગિયારમી (ઈસાની છઠ્ઠી) શતાબ્દીમાં વિશાળ સૈન્યદળ લઈ પ્રચંડ વેગથી સંપૂર્ણ તમિલ પ્રદેશ પર આક્રમણ કરી કલભ્રોએ પાંચ, પલ્લવ, ચોલ અને ચેર - આ ચાર શકિતશાળી રાજ્યોને નષ્ટ કરી નાખ્યાં. આ વંશો સદીઓથી તમિલ પ્રદેશના વિભિન્ન વિશાળ ભાગો પર રાજય કરતા આવતા હતા. એમને પરાજિત કરી સંપૂર્ણ તમિલ પ્રદેશ પર કલોએ પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું. કલભ્રોએ તમિલ પ્રદેશમાં પ્રવેશતાં જ જૈન ધર્મ અંગીકાર કરી લીધો. તે સમયે તમિલ પ્રદેશમાં જૈનોની સંખ્યા અગણિત (અપરિગણનીય) હતી.
જ્યારે આ કલભ્રોએ પાંડ્ય રાજ્ય પર વિજય પ્રાપ્ત કરી તેને થોડા વખત માટે પોતાના અધિકારમાં કરી લીધો, તો તેમના વિજયની ખુશીમાં કલબ્ર રાજાઓએ “મુતારાઇન'ની ઉપાધિ ધારણ કરી લીધી. “મુત્તારાઇન’ શબ્દનો અર્થ ત્રણ રાજ્યો અથવા ત્રણ ધરતીનો સ્વામી એમ થાય છે. આ અર્થ યોગ્ય જણાય છે, કેમકે વેલ્વિકુંડી દાનપત્રના ઉલ્લેખાનુસાર એમણે ચોલ, પાંડ્ય અને ચેર - આ ત્રણ દેશો અર્થાત્ આ ત્રણ રાજ્યોને જીત્યાં હતાં.
કલર્ભ ક્યાંથી આવ્યા હતા? તે વિશે ચોક્કસ રૂપે કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ એમ ચોક્કસ કહી શકાય કે, કલર્ભ દક્ષિણ ભારતના જ નિવાસી હતા. મદુરામાં દ્રવિડસંઘના નિર્માણના થોડા સમય બાદ જ કલભ્રોએ તમિલ પ્રદેશના ચોલ, પાંડ્ય અને ચેર - આ ત્રણ રાજ્યો પર આક્રમણ કરી તેના પર કબજો કરી લીધો. કલભ્રોનું તમિલ પ્રદેશ પર અંદાજિત અડધી સદી સુધી શાસન કર્યું.
એક બાજુ મદુરાના કડુંગોન નામક પાંડ્ય રાજાએ તથા બીજી બાજુથી કાંચીનરેશ પલ્લવરાજ સિંહવિષ્ણુએ સૈનિક દૃષ્ટિથી સુનિયોજિત રીતથી કલબ્રો પર આક્રમણનો પ્રારંભ કર્યો. તેમણે એક જોરદાર સંઘર્ષ ૧૦૮ 9696969696969696969699 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)