________________
યુગપ્રધાનાચાર્યપદ પર આસીન કર્યા. ૮૨ વર્ષ સુધી યુગપ્રધાનાચાર્યપદનો મહાન ભાર ઉઠાવીને આર્યસ્વાતિએ જૈનશાસનની ઘણી મોટી સેવા કરી. તેઓના સંબંધમાં વિચાર શ્રેણી'માં એક ગાથા ઉપલબ્ધ થાય છે, જેનો અર્થ આ પ્રમાણે છે : ‘વી. નિ. સં. ૧૧૫૦માં સ્વાતિસૂરિ દ્વારા સર્વ પ્રથમ ચતુર્દશીના દિવસે પાક્ષિક પ્રતિક્રમણ કરવાનો રિવાજ પ્રારંભ થયો. ‘રત્નસંચય’ ગ્રંથમાં આનાથી જુદી ગાથા છે, જેનો અર્થ છે : વીર નિર્વાણનાં ૧૨૦૦ વર્ષ બાદ સાહિસૂરિ(સ્વાતિસૂરિ)એ પાક્ષિક પ્રતિક્રમણ પૂનમથી હટાવી ચતુર્દશીના દિવસને પ્રચલિત કર્યું.
થારપદ્રગચ્છ
ભગવાન મહાવીરના ચોત્રીસમા પટ્ટધર આચાર્ય હરિષણના આચાર્યકાળમાં હારિલગચ્છના પાંચમા પટ્ટધર આચાર્ય બટેશ્વરસૂરિ હારિલગચ્છની જ ઉપશાખા થારપદ્રગચ્છના સ્થાપક હતા. થારપદ્રગચ્છનું બીજું નામ બટેશ્વરગચ્છ પણ છે. સોલંકી - પરમાર રાજા થિરપાલ ધ્રુવે વિ. સં. ૧૦૧માં થરાદ નામનું નગર વસાવ્યું. થરાદ અથવા થારપદ્ર નગરમાં આ ગચ્છની સ્થાપના કરવામાં આવી હતી, એટલા માટે આ ગચ્છ જગતમાં થારપદ્રગચ્છના નામથી પ્રખ્યાત થયો.
હારિલગચ્છના ચોથા આચાર્ય યક્ષદત્તના નાગ, વૃંદ, મમ્મડ, દુર્ગ, અગ્નિશમાં અને બટેશ્વર એમ છ પ્રમુખ શિષ્ય હતા. આચાર્ય યક્ષદત્તગણિ ક્ષમાશ્રમણે પોતાના છએ વિદ્વાન શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું. છએ શિષ્યોમાં ઉંમરની દૃષ્ટિથી બટેશ્વર સૌથી નાના હતા.
આચાર્ય બટેશ્વરસૂરિના પટ્ટધર શિષ્યનું નામ તત્ત્વાચાર્ય અને પ્રપટ્ટધર શિષ્યનું નામ ઉદ્યોત્તનસૂરિ હતું. આચાર્ય ઉદ્યોત્તનસૂરિએ ‘કુવલયમાલા’ નામના એક ઉત્કૃષ્ટ કોટિના ગ્રંથની રચના કરી. આ ગ્રંથ પ્રાકૃત સાહિત્યમાં સદીઓથી લોકપ્રિય બની રહેલો છે.
૧૦૬ ૭૦૩૨
30 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)