________________
આધ્યાત્મિક ઉન્નતિમાં એ મદદગાર નથી. પુત્ર ! સાચું કહું છું મને ખરેખરો આનંદ તો ત્યારે થાત જ્યારે તું અધ્યાત્મવિદ્યાથી ઓતપ્રોત દૃષ્ટિવાદનું અધ્યયન કરીને આવતો.”
માતાના હૃદયસ્પર્શી અમોઘ ઉદ્ગારો પુત્રના હૃદયમાં કંડારાઈ ગયા. “મને દૃષ્ટિવાદની શિક્ષા ક્યાં મળશે ?” એવું પૂછતાં રુદ્રસોમાએ નગરની બહાર ઇક્ષુવાટિકામાં વિરાજેલા આચાર્ય તોષલિપુત્રનું નામ જણાવ્યું.
બીજા દિવસે સવાર થતાં જ રક્ષિત માતાની ચરણરજ કપાળ ઉપર લગાવીને દૃષ્ટિવાદના અધ્યયન માટે હોંશે-હોંશે આચાર્ય તોષલિપુત્રની સેવામાં ગયો.
નિગ્રંથ શ્રમણની દીક્ષા ધારણ કર્યા પછી જ દૃષ્ટિવાદનું અધ્યયન શક્ય છે, અન્યથા નહિ,' એવું જાણી રક્ષિતે તરત જ કોઈ પણ જાતના સંકોચ વગર શ્રમણદીક્ષા એમની પાસે અંગીકાર કરી.
આર્ય રક્ષિતે એમની પાસે ‘એકાદશાંગી'નું તલસ્પર્શી અધ્યયન કર્યા પછી આર્ય વજની સેવામાં હાજર થઈ સાડાનવપૂર્વનું જ્ઞાન મેળવ્યું. માતા-પિતાએ એમને પાછા લેવા મોકલેલા એમના નાના ભાઈ ફલ્ગુરક્ષિતને પણ શ્રમણધર્મમાં પ્રવ્રુજિત કર્યો. સાડા નવ પૂર્વનું જ્ઞાન મેળવી આર્ય રક્ષિત ફરી પાછા એમના ગુરુ આચાર્ય તોષલિપુત્રની સેવામાં પહોંચ્યા. ગુરુએ એમને સર્વથા યોગ્ય જાણી આચાર્યપદ પ્રદાન કર્યું અને ત્યાર બાદ તેઓએ સમાધિપૂર્વક સંલેખના કરી ઇહલોક ત્યાગી પરલોક સિધાવ્યા.
પોતાના ગુરુના સ્વર્ગારોહણ પછી આચાર્યપદ ઉપર આસીન થઈ આર્ય રક્ષિતે પૂર્વમાં ફલ્ગુરક્ષિતના માધ્યમથી કરવામાં આવેલ માતા રુદ્રસોમાના અનુરોધ ઉપર અનેક દીક્ષાર્થીઓના હિતને નજર સમક્ષ રાખી દશપુર પહોંચ્યા.
રુદ્રસોમાએ અને એમના વડે નિર્માણ પામેલ પ્રેરણાપ્રદ ભૂમિકાના પરિણામે રાજપુરોહિત સોમદેવ તેમજ એમના કુટુંબના અનેક મુમુક્ષુઓએ આચાર્ય રક્ષિત પાસે પાંચ મહાવ્રત સ્વરૂપ અણગાર ધર્મની દીક્ષા ગ્રહણ કરી.
૩૪૬૭૭૭૭૩©©ÐO© જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)