SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, આર્ય રક્ષિતના ચાતુર્યપૂર્ણ નિર્ણયથી ઉત્તરાધિકારીનો પ્રશ્ન નિર્મૂળ થયો, તેમજ બધાએ સર્વસંમતિથી દુર્બલિકા પુષ્યમિત્રને ઉત્તરાધિકારીના રૂપમાં સ્વીકાર્યા. આર્ય રક્ષિતે નવા બનેલા આચાર્ય દુર્બલિકા પુષ્યમિત્રને તેમજ સંઘને સંઘ-સંચાલનના વિષયમાં નિર્દેશો આપ્યા. ત્યાર પછી આત્મધ્યાનમાં લીન થઈ સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. એમના સ્વર્ગગમનના સમાચાર સાંભળી ગોષ્ઠામાહિલ પણ ચાતુર્માસ પત્યા પછી સાધુસંઘ પાસે આવ્યા અને આર્ય દુર્બલિકા પુષ્યમિત્રના ગણાચાર્યપદે નિયુક્ત થવાના સમાચાર સાંભળી ઘણા ખિન્ન થયા. શ્રમણસંઘ તેમજ શ્રાવકસંઘે એમને સમજાવવાનો પૂરતો પ્રયાસ કર્યો, પણ એમણે કોઈની વાત પર ધ્યાન ન આપ્યું અને બધા સાધુઓથી ધીમે-ધીમે અલગ થઈ જુદા જ ઉપાશ્રયમાં રહીને “સૂત્રપૌરુષી'ની વખતે એકલા જ સ્વાધ્યાય કરવા લાગ્યા. “અર્થ-પૌરુષીના સમયે જ્યારે ગણાચાર્ય આર્ય દુર્બલિકા પુષ્યમિત્ર સાધુસમૂહને આગમવાચના આપતા તે વખતે પણ ગોષ્ઠામાહિલ હાજર થતા નહિ. તેઓ મનમાં ને મનમાં ગણાચાર્ય પ્રત્યે દ્વેષ રાખી ઈર્ષા કરવા લાગ્યા. ગણાચાર્યએ આપેલી વાચના પછી મુનિ વિન્દ્ર જ્યારે અર્થવાચના કરતા, ત્યારે ગોષ્ઠામાહિલ ત્યાં હાજર થતા અને આઠમાપૂર્વની વ્યાખ્યા સાંભળતા. પોતાના અંતરમાં પેદા થયેલ ગણાચાર્ય પ્રત્યેના વિદ્વેષ અને મહત્ત્વાકાંક્ષાઓના મોહને લીધે તેઓ આઠમાપૂર્વના ભાવોને સાચારૂપે ગ્રહણ ન કરતા એમના વિપરીત (ઊંધા) અર્થ જ ગ્રહણ કરવા લાગ્યા. આઠમા કર્મપ્રવાદપૂર્વની વાચના સમયે આર્ય વિન્ધએ કર્મબંધના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું : “આત્માની સાથે કર્મના ત્રણ પ્રકારના બંધ હોય છે - બદ્ધ, બદ્ધ - સ્પષ્ટ અને નિકાચિત. જીવપ્રદેશોની સાથે કર્મ-પરમાણુઓના સંબંધમાત્રને બદ્ધ કહે છે. જેમ કષાયરહિત જીવન ઈર્યાપથિક કર્મને બંધ કરી દીવાલ (ભીત) ઉપર નાંખવામાં આવેલ ધૂળની મુઠ્ઠીની જેમ જ કાળાન્તરમાં સ્થિતિ (અસ્તિત્વ) પામ્યા વગર જ અલગ થઈ જાય છે. બીજો બદ્ધસ્કૃષ્ટ - જે કર્મની ભીની દીવાલ ઉપર નાંખવામાં આવેલ સ્નેહયુક્ત જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૨) 23969696969696969633 ૨૮૩]
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy