________________
હાથમાંથી એ બંધ ઝોલીને પોતાના હાથોમાં લઈ લીધી. એ ઝોળીને હાથમાં લેતાંની સાથે જ આર્ય સિંહગિરિએ ધનગિરિને અચરજપૂર્ણ સ્વરમાં પૂછ્યું : “મુને ! તમે આ વજરાય સમાન અત્યંત ભારી આજે શું લાવ્યા છો ? આ તો મારા હાથની પકડમાંથી પણ છૂટી રહ્યું છે.” આમ કહેતાં આર્યે પોતાના આસન ઉપર એ પાત્રને રાખી ઝોળીને ખોલીને જોઈ. પાત્રમાં ચંદ્ર સમાન કાંતિયુક્ત પરમ તેજસ્વી બાળકને જોઈ આર્ય સિંહગિરિએ એ બાળકનું નામ વજ રાખ્યું અને કહ્યું : “આ બાળક પ્રવચનનો આધાર હશે, એનું સંરક્ષણ કરવામાં આવે.”
આચાર્ય સિંહગિરિએ સાધ્વીઓના ઉપાશ્રયમાં શય્યાતરીની દેખરેખમાં બાળક વજને સોંપી દીધો અને પોતે ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. શય્યાતરી શ્રાવિકા પોતાનાં બાળકોની સંભાળ રાખતા પહેલાં બાળક વજના દૂધ, સ્નાન, મર્દન વગેરેનું પૂરેપૂરું ધ્યાન રાખતી અને આખો દિવસ ઉપાશ્રયમાં રાખીને રાત્રે પોતાના ઘરે લઈ જતી. બાળક પણ મળમૂત્રની શંકા થતા મોઢાના હાવભાવ વડે અથવા તો રડીને શય્યાતરીને સચેત કરી દેતો અને એમને તકલીફ આપતો ન હતો.
બાળકની આ બદલાયેલી પરિસ્થિતિ અને શ્રાવિકા શય્યાતરીની ઘણી લગનથી કરાયેલી સેવા-શુશ્રૂષાને લીધે એની હૃષ્ટ-પૃષ્ટ થવાની વાત સાંભળી સુનંદા એના પુત્રને જોવા માટે એક દિવસ ઉપાશ્રયમાં જઈ પહોંચી. પોતાના સુંદર અને સ્વસ્થ પુત્રને પ્રસન્ન મુદ્રામાં જોઈ સુનંદાના હૃદયમાં માતૃસ્નેહ - મમતા ઉછાળા મારતા દરિયાની જેમ ઊમટી પડ્યો. એણે શય્યાતરીને આગ્રહ કર્યો કે - ‘તે એનો પુત્ર પાછો એને આપી દે,' પણ શય્યાતરીએ વાત માની નહિ. સુનંદા માતૃસ્નેહના લીધે બાળક વજને સમયે-સમયે આવી સ્તનપાન કરાવી જતી. આમ આ રીતે બાળક વજ્ર ૩ વર્ષનો થઈ ગયો. તે જાતિસ્મરણજ્ઞાનના લીધે પ્રાસુક ભોજન જ લેતો અને સાધ્વીઓના મોઢેથી શાસ્ત્રો સાંભળવામાં ઘણો રસ દાખવતો હતો.
ભવિષ્યમાં અનેક પ્રદેશોમાંથી વિચરણ કરીને આર્ય સિંહગિરિ પોતાના શિષ્યો સાથે તુંબવનમાં પધાર્યા. સુનંદાએ આર્ય ધનગિરિ પાસે જઈ એમની પાસે પોતાના પુત્રને પરત કરવા માટે વિનંતી કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૨૫૮