________________
સિદ્ધસેને ડગુમગુ થતી ચાલ જોઈને વૃદ્ધ પાલખીવાહકને પૂછ્યું : “ભૂરિભાર ભરાક્રાન્ત, બાધતિ સ્કન્ધ એષ તે?” '
વૃદ્ધવાદીએ ઉત્તરમાં કહ્યું: “તથાન બાધતે સ્કન્ધા, યથા બાધતિ બાધતે.”
જાણીતા અવાજમાં જવાબ સાંભળી સિદ્ધસેન ચમકી ઊઠ્યા અને વિચારવા લાગ્યા - “મારી ભૂલ બતાવનારા આ કોણ છે ? આ
ક્યાંક મારા ગુરુ વૃદ્ધવાદી તો નથી ને?” એમણે તરત જ પાલખીમાંથી નીચે ઊતરીને જોયું અને વૃદ્ધવાદીને ઓળખી જઈને શરમાઈને મનથી એમની માફી માંગી.
પ્રસંગવશ સિદ્ધસેનને સાધનામાં હજી વધુ સ્થિર કરવા માટે વૃદ્ધવાદીએ નિમ્નલિખિત ગાથા ગાઈને એમની પાસેથી એનો અર્થ માંગ્યો.
અણકૂલિપ ફુલ્લ મ તોડઈ, માં રોવા મોડહિં I. મણકુસુમેહિં અચ્ચિ નિરંજણ, હિંડહિ કાંઈ વણેણવણુ II ઘણું વિચાર્યા પછી પણ સિદ્ધસેન આ શ્લોકનો યથાર્થ ભાવ સમજી ન શક્યા, ત્યારે વૃદ્ધવાદીએ સ્પષ્ટીકરણ કરતા કહ્યું: - “અણકુલ્લિય ફુલ્લ મ તોડઈ - અર્થાત્ - સિદ્ધસેન ! યોગરૂપી વૃક્ષના યશ, કીર્તિ અને પ્રતાપ આદિ જે ફૂલ છે, એમને કેવળજ્ઞાન રૂપ ફળ મેળવ્યા વગર જ અવિકસિત દશામાં તોડીશ નહિ.”
મા રોવા મોડહિં - અર્થાતુ મહાવ્રતોના છોડોને વ્યર્થ જ ન મચકોડીશ ન કચડીશ ન છૂંદીશ.”
“મણકુસુમહિ અચ્ચિ નિરંજણુ - અર્થાત્ સદ્ભાવનારૂપી મનનાં કુસુમો-ફૂલો-પુષ્પોથી નિરંજન જિનેન્દ્રદેવની પૂજા કર, અથવા સિદ્ધિ પ્રાપ્ત નિરંજન પ્રભુની મનકુસુમોથી પૂજા કર.” - “હિંડહિ કાંઈ વણેણવણ - અર્થાતું વ્યર્થ જ વનથી વનમાં ભટકવાની જેમ રાજરંજન આદિ નિરર્થક કાર્ય શા માટે કરે છે?” કેટલી સુંદર શિક્ષા છે?
વૃદ્ધવાદીની શિક્ષાને સાંભળી સિદ્ધસેને આલોચનાપૂર્વક શુદ્ધિ કરી, અને સંયમ-સાધનામાં પૂર્ણપણે સ્થિર થયા. તેમજ રાજાને પૂછીને વૃદ્ધવાદીની સાથે કઠોર સાધના કરતા રહીને વિચરણ કરવા લાગ્યા.
જૈનશાસ્ત્રોની ભાષાના પ્રશ્નોને લઈને બ્રાહ્મણ વિદ્વાન પ્રાયઃ કહેતા હતા કે - “જૈન પરંપરાના આચાર્ય સંસ્કૃતના જાણકાર ન હતા, અન્યથા | ૨૩૨ 99999999999]ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)