________________
(ભારત ઉપર સિકંદરનું આક્રમણ) આચાર્ય સ્થૂળભદ્રના આચાર્યકાળ (વી. નિ. સં. ૧૭૮ થી ૨૧૫)માં લગભગ વી. નિ. સં. ૨૦૦(ઈ.સ. પૂર્વે ૩૨૭)માં ભારતવર્ષના ઉત્તરપશ્ચિમી પ્રદેશો ઉપર યુનાનના શાહ સિકંદરે (એલેકઝાન્ડર ધી ગ્રેટ) એક પ્રબળ સેના લઈ આક્રમણ કર્યું. એ સમયે ભારતના ઉત્તરપશ્ચિમી ભાગોમાં નાનાં-નાનાં રાજ્યો તથા પંજાબમાં વિવિધ જાતિઓનાં ગણરાજ્ય વિદ્યમાન હતાં. મગધસમ્રાટ ધનનંદ (નવમ્ નંદ) પોતાની અત્યંત લોભી પ્રકૃતિ અને જનતા પર વધુમાં વધુ કરભાર વધારતા રહેવાની પ્રવૃત્તિઓના કારણે પોતાની પ્રત્યે પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો. એના અધીનસ્થ અનેક રાજાઓ અને સામંતોએ એના પ્રત્યેનો વિદ્રોહનો ઝંડો ઉઠાવી પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરી દીધા હતા. ગૃહક્લેશના કારણે રાજાગણ એકબીજાને નીચા દેખાડવાના પ્રયત્નોમાં લાગેલા હતા.
દેશમાં સાર્વભૌમ સત્તાસંપન્ન શક્તિશાળી રાજ્યના અભાવમાં સિકંદરને શરૂઆતના તબક્કામાં એના અભિયાનમાં સફળતા મળી. એણે હિન્દુકુશ, કાબુલની ઘાટીથી લઈને સિંધુ નદીના પૂર્વનાં ક્ષેત્રો તથા કાશ્મીર અને તક્ષશિલા આદિ ભારતીય પ્રદેશો ઉપર વિજય મેળવ્યો.
આમ તો બધા રાજાઓ અને ગણરાજ્યોએ સિકંદરની સેનાની સાથે ઘણી શૌર્યતાથી યુદ્ધ કર્યું, પણ એમાંના રાજા પૌરવ (પોરસ) દ્વારા કરવામાં આવેલું યુદ્ધ ઇતિહાસમાં હંમેશાં વિશેષ ઉલ્લેખનીય રહેશે. રાજા પૌરવ(પોરસ)ની સેનાએ પ્રાણોને હોડમાં મૂકી ઘણાં શૌર્યથી સિકંદરની સેના સામે લડી, પરંતુ રાજા પૌરવને પરાજયનું મોઢું જોવું પડ્યું. વિજય પ્રાપ્ત થતા સિકંદરે રાજા પૌરવની શક્તિ અને વીરતા જોઈને એની સાથે મિત્રતા કરવી જરૂરી સમજી અને એનું જિતાયેલું રાજ્ય એને ફરી સોંપીને તે વિજય-અભિયાનમાં આગળ વધી ગયો.
સિકંદરનું લશ્કર આગળ વધવા માંગતું હતું, પણ શુદ્રક અને માલવ ગણતંત્રોની સંયુક્ત સેનાએ એને સિંધુ અને ચિનાબના સંગમના રણક્ષેત્રમાં લલકાર્યો. અહીં યુનાની લશ્કરને ઘણું ગુમાવવું પડ્યું. આ યુદ્ધમાં માલવો સાથે લડતા-લડતાં સિકંદર પોતે ઘાયલ થયો. આ ૧૮૦ 696969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)