________________
ચોમાસું આવતા આર્ય સંભૂતિવિજયની પાસે એમના બીજા ત્રણ શિષ્યોએ ઘોર-ભીષણ અભિગ્રહોને ધારણ કરવાની ઇચ્છા દર્શાવી. પ્રથમ શિષ્યએ ચાર મહિના સુધી અવિરત ઉપવાસની સાથે સિંહની ગુફાના દ્વાર ઉપર ધ્યાનમગ્ન રહેવાની, બીજા શિષ્યએ ચાર માસ સુધી નિર્જળ અને નિરાહારી રહીને ઝેરીલા સાપોના રાફડા પાસે ઊભા રહી કાયોત્સર્ગ કરવાની અને ત્રીજા શિષ્યએ કુવાની પારોડી (પાળ) ઉપર પોતાનું આસન જમાવી ઉપવાસપૂર્વક નિરંતર ચાર મહિના સુધી ધ્યાનમગ્ન રહેવાની ઇચ્છા દર્શાવી.
આર્ય સંભૂતિવિજયે એમના ત્રણેય શિષ્યોને એમના દ્વારા લીધેલાં કઠિન કાર્યોને નિષ્પાદન કરવા યોગ્ય સમજી એમની ઇચ્છા પ્રમાણે દુષ્કર તપ કરવાની અનુમતિ આપી.
એ જ સમયે આર્ય સ્થૂળભદ્ર મુનિએ એમનાં ચરણોમાં નતમસ્તક થઈ હાથ જોડી એવી ઈચ્છા પ્રગટ કરી કે - “તેઓ કોશા વેશ્યાના ભવનના કામોત્તેજક અનેક આકર્ષક ચિત્રોથી શોભાયમાન ચિત્રશાળામાં ષરસ વ્યંજનોનો આહાર કરી ચાર માસ સુધી રહી સમસ્ત વિકારોથી નિર્લિપ્ત રહેવાની સાધના કરશે.' આર્ય સ્થૂળભદ્રને આ કઠિન સાધનામાં સમુત્તીર્ણ થવાને યોગ્ય સમજી આચાર્ય સંભૂતિવિજયે એમને કોશા વેશ્યાની ચિત્રશાળામાં ચતુર્માસ પસાર કરવાની અનુમતિ આપી.
આર્ય સંભૂતિવિજયની આજ્ઞા મેળવી ચારેય શિષ્યો પોત-પોતાનાં ધારેલાં સ્થાન તરફ આગળ વધ્યા. પ્રથમ ત્રણ મુનિઓએ ધીમે-ધીમે એ ત્રણ સ્થાનોએ ચાર મહિના માટે અશન-પાન આદિનો ત્યાગ કરી ધ્યાન કરવાનું આરંભ કર્યું.
આર્ય સ્થૂળભદ્ર પણ કોશા વેશ્યાના મહેલના પ્રાંગણમાં પહોંચ્યા. લાંબા સમય સુધી સાથે રહેનારા પોતાના જીવન ધનને જોતાં જ કોશા અત્યંત આનંદિત થઈ હાથ જોડીને ઝડપથી મુનિ સ્થૂળભદ્રની સામે ઊભી રહી. એણે મનોમન વિચાર્યું કે - “જન્મજાત સુકુમાર સ્થૂળભદ્ર સંયમના ઊંચકી ન શકાય એવા દુષ્કર ભારથી કંટાળી (અભિભૂત) જઈ હરહંમેશને માટે મારી પાસે આવ્યા છે, એણે મુનિનું સુમધુર સ્વરે સ્વાગત કર્યું. ૧૦૬ 93969696969696962 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)