________________
આચાર્ય યશોભદ્ર સ્વામી ૨૨ વર્ષ ગૃહસ્થપર્યાયમાં રહ્યા. ૧૪ વર્ષ સામાન્ય સાધુપર્યાયમાં અને ૫૦ વર્ષ સુધી યુગપ્રધાનાચાર્ય રૂપે જિનશાસનની સેવામાં નિરત રહ્યા. ૮૬ વર્ષની કુલ આયુ પૂર્ણ કરી વી. નિ. સં. ૧૪૮માં એમનો સ્વર્ગવાસ થયો.
ભ. મહાવીર પછી સુધર્મા સ્વામીથી લઈને આચાર્ય યશોભદ્રા સુધી જૈન શ્રમણ સંઘમાં એક જ આચાર્યની પરંપરા બની રહી. વાચનાચાર્ય આદિ રૂપથી સંઘમાં રહેનારા અન્ય આચાર્ય પણ એક જ શાસનની વ્યવસ્થા ચલાવતા રહ્યા. આચાર્ય યશોભદ્રએ પોતાના શાસનકાળ સુધી આ પરંપરાને સમ્યક રૂપે સુરક્ષિત રાખી, આ એમની ખાસ વિશેષતા છે.
દિગંબર માન્યતા) દિગંબર માન્યતાના ગ્રંથો અને પટ્ટાવલીઓમાં ત્રીજા શ્રુતકેવળી આચાર્ય યશોભદ્રના સ્થાને અપરાજિતને ત્રીજા શ્રુતકેવળી આચાર્ય માનવામાં આવ્યા છે. એમનો પણ કોઈ વિશેષ પરિચય ઉપલબ્ધ નથી થતો.
૧૩૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)|