________________
અને સાચો ધર્મ છે. એનો સાચો ઉપદેશ અહીં વિરાજિત આચાર્ય પ્રભાવ પાસેથી તારે પ્રાપ્ત કરવો જોઈએ.”
ઉપાધ્યાયના મોઢે સાચી વાત સાંભળી સäભવ ઘણો પ્રસન્ન થયો. એણે સમસ્ત યજ્ઞોપકરણ અને યજ્ઞને માટે એકત્રિત કરેલી બધી જ સામગ્રી ઉપાધ્યાયને પ્રદાન કરી દીધી અને સ્વયં ખોજ કરતાકરતા આચાર્ય પ્રભવની સેવામાં જઈ પહોંચ્યો. સäભવ ભટ્ટ આચાર્ય પ્રભવનાં ચરણોમાં પ્રણામ કરીને એમની પાસે મોક્ષદાયક ધર્મનો ઉપદેશ આપવાની પ્રાર્થના કરી.
આચાર્ય પ્રભવે સમ્યકત્વ સહિત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ ધર્મનો મહિમા સમજાવતા સäભવને કહ્યું કે - “વસ્તુતઃ આ જ વાસ્તવિક તત્ત્વ, સાચું જ્ઞાન અને સાચો ધર્મ છે. આ વીતરાગમાર્ગની સાધના કરનારો જન્મ, જરા, મરણનાં બંધનોથી હર-હંમેશને માટે છુટકારો મેળવી અક્ષયસુખની પ્રાપ્તિ કરી લેવામાં સફળ થાય છે.” - આચાર્ય પ્રભવના મુખે શુદ્ધમાર્ગનો ઉપદેશ સાંભળી સäભવે ભટ્ટ તત્કાળ જ પ્રભાવ સ્વામીની પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી લીધી. આચાર્ય પ્રભવ દ્વારા સäભવ ભટ્ટને પ્રતિબોધ આપવાનું આ ઉદાહરણ એ વાતનું પ્રમાણ છે કે આપણા મહાન આચાર્ય પોતાના આત્મ-કલ્યાણની સાથે-સાથે ભવિષ્યમાં આવનારી ભવ્ય પ્રાણીઓની પેઢીઓના કલ્યાણનો માર્ગ બતાવનારી શ્રમણ પરંપરાને સુદીર્ઘકાળ સુધી સ્થાયી અને સશક્ત બનાવવા માટે પણ અહર્નિશ (હંમેશાં) પ્રયત્નશીલ રહેતા હતા.
(આર્ય પ્રભવનું સ્વર્ગગમન) પ્રભવ ૩૦ વર્ષની ભરપૂર યુવાન અવસ્થામાં દીક્ષિત થયા. ૧૧ વર્ષ સુધી શ્રમણ સંઘના ગરિમાપૂર્ણ આચાર્યપદ પર અધિષ્ઠિત રહીને ૭૫ વર્ષ સુધી સ્વ અને પરનું કલ્યાણ કર્યું. આ પ્રકારના ઉદાહરણ સંસારના ઇતિહાસમાં વિરલાને જ ઉપલબ્ધ થાય છે. અંતે મહાન રાજર્ષિ આચાર્ય પ્રભવે પોતાનો અંતિમ સમય સંનિકટ સમજી પોતાના શિષ્ય મધ્યભંવ ભટ્ટને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કર્યો અને અનશનપૂર્વક ૧૦૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વી. નિ. સં. ૭પમાં સ્વર્ગગમન કર્યું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 3969696969696969696969] ૧૨૫ |
અંતિમ
ઘોષિત કા સ્વર્ગગમન