________________
યુવકે કહ્યું : “તું વિશ્વાસ કર, વાસ્તવમાં મને તારા પરિચયથી જ પ્રયોજન છે, અન્ય વાતોથી નહિ, કૃપા કરી છુપાવ્યા વગર પોતાનો સર્વ ઇતિવૃત્ત સાચો-સાચો સંભળાવી દે.”
યુવકની વાત સાંભળી ગણિકા થોડીક ક્ષણો માટે વિચાર-સાગરમાં ડૂબી ગઈ, પછી તેણીએ પોતાના શ્વસુરપક્ષ અને પિતૃપક્ષના મુખ્યમુખ્ય સ્વજનોના નામોલ્લેખપૂર્વક ડાકુઓ દ્વારા પોતાના અપહરણ તથા ગણિકા દ્વારા ખરીદવામાં આવવું આદિ બધી ઘટનાઓનો પૂર્ણ પરિચય આપી દીધો.
યુવાગોપ લજ્જાથી ગણિકાનાં ચરણોમાં પડીને કહેવા લાગ્યો : “મા ! હું જ તારો એ અભાગિયો પુત્ર છું, જેનાથી અલગ કરી તને ડાકુઓ ઉઠાવી ગયાં હતાં. દેવ-કૃપાથી આજે આપણે બંને માતા અને પુત્ર ઘોર અનાચારથી બચી ગયાં છીએ.” ત્યાર બાદ ગોપકુમાર વૃદ્ધ ગણિકાને એના કહ્યા પ્રમાણે મૂલ્ય ચૂકવીને પોતાની માતાને પોતાની સાથે ગોકુળમાં લઈ ગયો.
ઉપર્યુક્ત દૃષ્ટાંત સંભળાવ્યાં પછી જમ્બકુમા૨ે પ્રભવને પૂછ્યું : “પ્રભવ ! જો દેવતા દ્વારા એ ગોપયુવકને પ્રતિબોધ આપવામાં ન આવત, તો એ દશામાં એ યુવાગોપના ધનનો ઉપયોગ કેવો થતો ?’
પ્રભવે કહ્યું : “અત્યંત ગર્હણીય અને નિતાંત નિંદનીય,’’
જમ્મૂકુમારે વધુ એક પ્રશ્ન કર્યો : “પ્રભવ ! માતા-પુત્રનો સંબંધ જ્ઞાત થઈ જવા પર એ યુવક ગણિકા બનેલી પોતાની માતાની સાથે ક્યારેક વિષયોપભોગની અભિલાષા કરી શકે છે ?”
,,
પ્રભવે તત્કાળ જવાબ આપ્યો : “ક્યારેય નહિ, સ્વપ્નમાં પણ નહિ.’ જમ્મૂકુમારે કહ્યું : “પ્રતિબોધ પામેલી પ્રબુદ્ધચેત્તા વ્યક્તિ તો દરેક પ્રકારના અનાચારોથી બચી શકે છે, નહિ કે અજ્ઞાન નિદ્રાથી વિમૂઢ બનેલી વ્યક્તિ. વસ્તુતઃ જ્ઞાન દ્વારા જ બધાં પ્રકારનાં દુઃખો તથા દુષ્કૃત્યોથી પરિત્રાણ થઈ બચી શકાય છે.’’
આ વખતે પ્રભવે જમ્મૂકુમારને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરી અનુનયપૂર્ણ સ્વરમાં કહ્યું : “સ્વામિન્ ! તમે લોકધર્મ અનુરૂપ બધાં કર્તવ્યોનું નિર્વહન કરીને પુત્ર ઉત્પન્ન કરો. પુત્ર ઉત્પન્ન કરવાથી પિતૃગણ પરમ ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૧૬ ૭૩