SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સાસુના મહેણું ઉપર વહુને ચટકે લાગે. તેણીએ તત્કાળ પીચરથી દ્રવ્ય મંગાવ્યું, અને સંવત્ ૧૬૫ માં મંદિરનું ખાત મુહૂર્ત કર્યું. પાંચ વર્ષે મંદિર પૂરું થયું. મંદિરનું નામ રત્નતિલક રાખ્યું. અને તેજ વિજયસેનસૂરિના હાથે તેમાં સંવત્ ૧૬૫૫ ના શ્રાવણ સુદિ ૯ ના દિવસે ધર્મનાથની પ્રતિષ્ઠા કરાવી. બસ, આજ ઉપરથી આ બન્ને દેરાસરે “સાસુ વહુનાં દેરાસર” ના નામથી પ્રસિદ્ધ થયાં. અત્યારે પણ આ બન્ને મંદિરે વિદ્યમાન છે. કવિ અને કથે છે કે – “જબૂસરને સંઘ દીપ વિ. એ તીરથને રખવાલ ગુ. તીરથની રડ્યા કરે વિ. પુન્યતણ પરનાલ” ગુ. ૫ ( પૃ. ૧૭૩ ) આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે સમયે-કવિના સમયમાં આ તીર્થની સાર સંભાળ જંબુસરને સંઘ રાખતે હતો. જ્યારે અત્યારે ખંભાતના એક ગૃહસ્થ રાખે છે. : '૧ ઉપરનાં બને દેરાસરમાં દેરાસરોના બનાવનારાઓને પૂર્ણ પરિચય આપનારા શિલાલે વિદ્યમાન છે. આ શિલાલેખમાં પણ કવિએ દેરાસરના બંધાવનારાઓનાં જે નામે આપ્યાં છે, તે જ નામો આપેલાં છે. પરંતુ સાસુ વહુના મેણા સંબંધી જે કથા ઉલ્લેખી છે, તે કથાનો એક અંશપણ શિલાલેખોમાંથી મળતી નથી. આ ઉપરથી જણાય છે કે કવિએ દંતકથા ઉપરથી જ આ કથા આ તીર્થ માળામાં આપી હશે. આ બન્ને મંદિરના શિલાલેખો મારી પાસેના લેખસંગ્રહમાં વિદ્યમાન છે. [૬૩]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy