________________
पं०-विनीतकुशलविरचित शत्रुजयतीर्थयात्रा
દુહા સરસતિ માત સયા કરી આપે વચનવિલાસ; શ્રીસેગુંજયગિરતણું તવન કરૂં ઉલ્લાસ. શ્રી શત્રુંજય એહવું જપતાં પાપ પલાય તે જાત્રા કરતાં થકાં પુન્યભંડાર ભરાય. શ્રીસગુંજ્ય સંઘપતી થયા થાસઈ અનેક પણિ પંચમ આરઈ અધિક રાષી સંઘવી ટેક. ૩ સાંભળતાં ગુણ તેહના હેઈ લાભ અપાર; સેન્જતીરથ સંકથા કરતાં સુલભ સંસાર.
આ છે હાલ ૧
રાગ દેશાષ. આવે આરે ચતુરનર સેગુંજ જઈઇ, આણ અંગિ ઊમાહ લાલ, કે ભાવકેરાં પાતિક વારઈ, ભેટ્યાં અષજિનનાહ લાલ રે. આવે. ૫ તીરથકર ગણધર ઈહિ આવ્યા, આવ્યા મુનિવર કે કેડિ લાલ રે; સુરનર વૃદ અસુર પણિ આવી, પ્રણમઈ બે કર જોડિ લાલરે. આવે. ૬ સિદ્ધ અનંત થયા એણિ ગિરવરિ, થાસઈ સિદ્ધ અનંત લાલ રે, કાકરઈ કાકર સિદ્ધ અનંતા, ઈમ ભાષઈ ભગવંત લાલ રે. આવો. ૭
૧૫૯