________________
પંચામૃત અભિષેકિં ઘણી નયણે દીઠી તેહિ ભણી ગુરૂ સાહમી પુસ્તક ભંડાર તેહની પૂજા કરિ ઉદાર, ૨૫ સંઘ પ્રતિષ્ઠા નિ પ્રાસાદ બહુ તીરથ તે કરે આલ્હાદ; કરણાટક કંકણ ગુજરાતિ પૂરવ માલવનિ મેવાતિ. દ્રવ્યતણા મેટા વ્યાપાર સદાવર્ત પૂજા વિવિહાર તપ જપ કરિયા મહેચ્છવ ઘણા કરિજિનસાસન સહામણા. ૨૭ સંવત સાતિ સતરિ સહી ગઢ ગિરિનારિ જાત્રા કહી, લાષ એક તિહાં ધન વાવરી નેમનાથની પૂજા કરી. ૨૮ હેમમુદ્રા સંઘ વચ્છલ કીઓ લાછિતણે લાહે તિહાં લીઓ; પરબિં પાઇ સીઆલિ દૂધ ઈષરસ ઉનાલિ સુદ્ધ. ૨૯ એલાલિં વાસ્યાં નીર પંથી જનનિ પાઇ ધીર; પંચામૃત પકવાને ભરી પિષિ પાત્રજ ભગતિ કરી. . ૩૦ ભેજ સંઘવી સુત સહમણા દાતા વિનઈ જ્ઞાની ઘણા અર્જુન સંઘવી પદારથનાથ શીતલ સંઘવી કરિ શુભકામ. ૩૧ હવિ ભૂગતગિરિ જાત્રા કહું શેત્રુજતેલિં તે પણિ લહું તે ઉપરિ પ્રાસાદ ઉતંગ જિન જેવીસતણું અતિચંગ. ૩૨ સિંધષેડિ આંબા પાત્ર ચંદ્રપ્રભ જિન શાંતિ સનર
સાવદગિરિ ગઢ કલ્યાણ સહિર બિધર પ્રસીધું ઠાણ ૩૩ હાંથી કહીઈ દેસ તિલંગ ભાગનગર ગલકુંડું અંગ અણ ચાર વસિ સુવિસાલ કુતબસાહ નામિ ભૂપાલ. ૩૪ એકલાષ હયવર હીંસતા નવલષ પાલા પદ સેવતા ગજરથ સેહિ દલ શિણગાર નાટિક નેજા વાજિત્ર સાર. ૩૫ ગણિકાનાં ઘર સહિસ છત્રીસ નાચગીત કરિ નિસદીસ જિનપૂજાઈ ઓચ્છવ વલી જાણે અપચ્છર ડિમિલી. ૩૬ શ્રાવકજન વસિં લખ્યમીવંત દાની જ્ઞાની પરમી સંત